SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૪ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 દેવોને ફૂલની માળા પણ નિર્માલ્ય બનતી નથી. (જીવનભર રહે છે, તો પછી સોનાની તો વાત જ શી ? ગોભદ્રદેવ પત્ની સહિત શાલિભદ્ર પાસે અમને અલંકારોને મોકલે છે. પણ આ બંદા તો બીજે જ દી અમને ખંખેરીને કાઢી મૂકે છે. પત્નીઓ પણ એમ જ કરે છે. અમારું માન શું રહ્યું ?આવા અપમાનથી જાણે માઠું લાગતાં અલંકારો કૂવામાં ઝંપલાવે છે. // ૧૬૧ // ૧૬૨ || શાલિભદ્ર (ચોખા)ની આવી વિભૂતિનાં દર્શનરૂપી પરિમલ (સુગંધ)થી જ રાજાને તૃપ્તિ થઇ ગઇ. “બસ... હવે મારે બીજું કાંઇ જોઇતું નથી.’ એમ કહેવા તે માથું ડોલાવવા લાગ્યો-એમ હું માનું છું. / ૧૬૩ // અદ્દભુત વાનગીઓથી ભરપૂર, અઢળક ધનથી યુક્ત, પહેલાં કદી નહિ જોયેલા શાલિભદ્રના ભોગ-વિલાસને કહેવાની ઇચ્છાવાળા નિર્મળમતિવાળા રાજા વિચારવા લાગ્યા. ગૌણાર્થ : અક્ષરોથી પૂર્ણ, મહાન અર્થથી યુક્ત, પહેલાં કદી નહિ સાંભળેલા ભોગ સૂત્ર પર વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા પંડિત વિચારવા લાગ્યા. || ૧૬૪ || આ શાલિભદ્રનું પર્વતો જેવા રાજાઓ કરતાં પણ ખૂબ જ ઊંચું પુણ્ય છે, મેરુ જેવું છે, જેની તળેટીમાં મનુષ્યલમી અને ટોચ પર દેવલક્ષ્મી આળોટી રહી છે. || ૧૬૫ // અમે તો અશ્વપ્રિય રાજાઓ છીએ, સત્તાભ્રષ્ટ થયેલા અને અપમાન વગેરે સહન કરીએ છીએ. પરંતુ સર્વ પ્રશસ્ત પુરુષોમાં શાલિભદ્ર કદી ખંડિત થયો નથી. 8A%A88888A YAUAAAAAAAA | ૪ |
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy