SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૧ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 ઓ મહાવ્રતધારી મુનિ ! આ દુર્બળ, નિર્ધન દોષની ખાણ સરખા બાળકને આપના આગમનથી પવિત્ર કરો. ગૌણાર્થ : હે શંકર ! દુર્બળ અને કિરણ વગરના આ બાલ ચંદ્રને આપ આપની જટામાં ધારણ કરી પવિત્ર કરો. || ૧૦૩ //. આ પ્રમાણે અમૃતની વૃષ્ટિસમી વાણી દ્વારા ભૂમિકા કરીને આનંદનાં આંસુથી જાણે છાંટણા છાંટતો ! ભાવનાના વૃક્ષને જાણે સિંચતો ! પાપના પંકને જાણે સાફ કરતો ! જલપૂર્વક દાન દેવા જાણે સંગમ. . . ! પ્રસન્નતાપૂર્વક, હર્ષપૂર્વક, આદરપૂર્વક, ભાવની નિર્મળતાપૂર્વક, ભક્તિની કુશળતાપૂર્વક, ઇચ્છારહિતપણે, ઉપમારહિતપણે, શિક્ષારહિતપણે , પોતાના કર્મથી નિર્ધન છતાં પરમભક્તિથી યુક્ત સંગમ ખીર વહોરાવી. || ૧૦૪ / ૧૦૫ // ૧૦૬ / ૧૦૭ // મુનિના ધ્યાનથી શાંતરસ ! આત્મનિંદાથી કરુણરસ ! દાનપ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક ધસી જવાથી વીરરસ ! અણધાર્યું થવાથી અભુતરસ સમો સંગમ, વાણીવીરોનાં વચનોથી અતીત, યોગીઓને પણ અગમ્ય, મુતિમંતોને અશેય-ચાર રસોના મિશ્રણને પામ્યો. / ૧૦૮ / ૧૦૯ //. મુનિને ખીરનું દાન : આ પ્રગૃહીતા નામની છઠ્ઠી ભિક્ષા છે-એમ વિચારી સંગમ પર અનુગ્રહ કરવામાં તત્પર, દક્ષ મુનિએ તે ગ્રહણ કરી. | ૧૧૦ || તેના પુણ્ય-પુંજથી ભરેલા પાલા (અનાજ માપવાનું સાધન) પર ધર્મલાભના આશીર્વાદથી શિખા કરીને સરળ ચિત્તવાળા મુનિ પોતાના સ્થાને ગયા. || ૧૧૧ // 828282828282828282828282828282828482 / રૂદ્ધ૬ |
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy