SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ચિંતન કરવું તે ચિંતાનો સાતમો પ્રકાર છે. વિવેચન : ચિંતા શું છે ? સ્થિર કે અસ્થિર ચિત્તે થતી શુભ ચિંતન-પ્રવૃત્તિ એ ચિંતાની સામાન્ય વ્યાખ્યા છે અને વિશેષથી ચિંતાના ત્રણ પ્રકાર ‘બૃહત્ કલ્પભાષ્યમાં બતાવ્યા છે. તે નીચે પ્રમાણે છે સાત પ્રકારની ચિંતાનું સ્વરૂપ વ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ - આ નવ તત્ત્વોના તથા ધ્યાનના ચોવીસ ભેદોના સ્વરૂપની વિચારણા કરવી તે ‘તત્ત્વચિંતા' નામનો ચિંતાનો પહેલો પ્રકાર છે. જગતમાં વિદ્યમાન જડ-ચેતન ચિંતન એ ધ્યાનરૂપ ચિંતા. (૧) ચિત્તની સ્થિરતાપૂર્વક થતું પદાર્થો, તેના ફેરફારો, સંસાર અને મોક્ષનાં સાધક-બાધક કારણો વગેરેનો વિચાર તથા પ્રસ્તુત ગ્રંથમાં નિર્દિષ્ટ ચોવીસ ધ્યાન માર્ગભેદોના સ્વરૂપનો વિચાર આ પહેલી ચિંતામાં આવી જાય છે. પરસમય : જગતમાં ચાલતાં ભિન્નભિન્ન દર્શનો જે એકાંતષ્ટિવાળાં અને સર્વજ્ઞ વચનથી વિપરીત છે. છે જેવાં કે મિથ્યાર્દષ્ટિ, સાસ્વાદન કે મિશ્ર દૃષ્ટિવાળા વોના સંબંધમાં તથા ૩૬૩ પાખંડી (૨) બે ધ્યાનના વચગાળામાં થતું બે ચિંતન એ ધ્યાનાન્તરિકારૂપ ચિંતા. (૩) છૂટીછવાઇ વિચારધારાઓ – જે ધ્યાન અને ધ્યાનાન્તરિકાથી જુદા સ્વરૂપની છે, તે વિપ્રકીર્ણરૂપ ચિંતા. ચિંતાના આ ત્રણે પ્રકારોમાંથી પ્રસ્તુતમાં જે સાત પ્રકારની ચિંતાઓ જણાવી છે, તે વિપ્રકીર્ણરૂપ ચિંતા છે. તે ૧. જ્ઞાનું નિયમા ચિંતા, ચિંતા મયા ૩ તીસુ ટાળેસુ | झाणे तदंतरम्मि उ तव्विवरीया व जा काइ ॥ १६४१ ॥ 1 वृत्ति यद्मनः स्वयंरूपं तद् नियमात् चिन्ता चिन्ता तु 'भक्ता' विकल्पिता त्रिषु स्थानेषु ॥ तथाहि कदाचिद् 'ध्याने ध्यानविषया चिन्ता भवति यदा दृढाध्यवसायेन चिन्तयति । 'तदंतरम्मि उ त्ति तस्य ध्यानस्यान्तरं तदन्तरं तस्मिन् वा चिन्ता भवेत्, ध्यानान्तरिकायामित्यर्थः ''तद्विपरीता या या काचिद् ध्याने ध्यानान्तरिकाया वा नावतरति किन्तु विप्रकीर्णा चित्तचेष्ठ साऽपि चिन्ता प्रतिपत्तव्या । अतो यदा राध्यवसायेन चिन्तयति तदा चिन्ता ध्यानयोरेकत्वम्, अन्यथा पुनरन्यत्वम् । ‘બૃહદ્ લ્પસૂત્ર', માઘ્ય ?, ઉદ્દેશ-પુ. નં. ૪૮૨ અર્થ : ચિંતાના ત્રણ પ્રકાર છે : (૧) ક્યારેક પ્લાન સમયે ધ્યાન વિષયક જે ચિંતા (ચિંતન) દેઢ અધ્યવસાય (મનની સ્થિરતા) પૂર્વક થાય છે, તે ધ્યાનરૂપ ચિંતા છે. (૨) ધ્યાનની પછી (કે પહેલાં) જે ચલ ચિત્તેથી ચિંતન થાય તે ધ્યાનાન્તરિકા રૂપ ચિંતા છે. (૩) અને આ બે ચિંતાઓથી ભિન્ન જે છૂટી-છવાઇ વિચારણાઓ થાય છે, તે વિપ્રકીર્ણ રૂપ ચિંતા છે. સાધક જ્યારે સ્થિરચિનપૂર્વક ચિંતન કરે છે ત્યારે તે ચિંતા અને ધ્યાનની એકતા થઇ જાય છે અર્થાન તે ચિંતા ધ્યાનરૂપ બની જાય છે. તે સિવાયની ચિંતા એ ધ્યાનથી ભિન્ન છે, ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૨૨૮
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy