SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વી આદિ પાંચ તત્ત્વોની વિષમતાને નિવારી તેમાં સમાનતા-સુસંવાદિતા લાવવા માટે ક્ષિ-પ-૩-સ્વા-હા’ વગેરે અક્ષરોનું ઉચ્ચારણ કરવાપૂર્વક આરોહ-અવરોહના ક્રમે જાનુ આદિ સ્થાનોમાં સ્પર્શ કરવામાં આવે છે, તેને ‘સકલીકરણ' કહે છે. ‘શૂન્ય’ વગેરે બાવીસ ધ્યાનભેદોમાં પ્રધાનતાએ તેન અક્ષરોના આલંબન દ્વારા તેના વાચ્યમાં એટલે કે નિરક્ષર એવા આત્મા કે પરમાત્માના સ્વરૂપમાં લીનતા પ્રાપ્ત કરવાની હોય છે. તેથી જ જાણે તે ધ્યાનોનો ન્યાસ ‘નિરક્ષર-વલય’માં કરવામાં આવ્યો છે એમ સમજાય છે. (૬) સકલીકરણ વલય મૂળ પાઠ : સૂરિમંત્ર, વર્ધમાનવિદ્યા અને સિદ્ધચક્રયંત્રની ઉપાસનામાં પૂર્વસેવારૂપે ‘સકલીકરણ'ની પ્રક્રિયા કરવામાં આવે છે. તથા ‘અદ્’ના પ્લુત ઉચ્ચારણથી પણ પાંચે તત્ત્વોનું ઊર્ધ્વકરણ થાય છે. અર્ सकलीकरण-वलयम्हं અર્દ તેમાં અગ્નિબીજ છે. પૃથિવ્યતેનો-વાય્યાાશમડલ- તેમાં પૃથ્વી તત્ત્વ અને જળ તત્ત્વ + સમાયેલાં છે. ‘હૈં આકાશબીજ છે, તેમાં વાયુ તત્ત્વ રહેલ છે. પદ્માભમ્ ॥ ૬ ॥ અર્થ : છઠ્ઠું ‘સકલીકરણ વલય' પૃથ્વી મંડલ, અર્ મંડલ, અગ્નિ મંડલ, વાયુ મંડલ અને આકાશ મંડલ - આ પાંચ મંડલ સ્વરૂપ છે. વિવેચનઃ આ ‘સકલીકરણ વલય'માં પિંડસ્થ-ધ્યાનનું સૂચન છે. ‘યોગશાસ્ત્ર'ના આ ‘દૂ’ આદિ બીજાક્ષરોના ન્યાસથી-ધ્યાનથી માર્મિક રીતે હું ‘અદં’ નહિ પણ ‘અર્જુ’છું અર્થાત્ ‘હું પાંચ ભૂતમય દેહ નહિ, પણ સચ્ચિદાનંદસ્વરૂપ આત્મા છું' - એવો બોધ થાય છે અથવા સાતમા પ્રકાશમાં બતાવેલી પિંડસ્થ-‘આત્મા સત્ય છે’ અને ‘બાકી બધું મિથ્યા ધ્યાનની પાંચે ધારણાઓનું સૂચન પણ છે' એવો બોધ ‘સકલીકરણ’ના આ વલયથી થાય છે. તેમજ ધ્યાનાદિ ન્યાસમાં રહેલા બીજાક્ષરો દ્વારા થાય છે. અનુષ્ઠાન પૂર્વે કરવામાં આવતી ‘સકલીકરણ’ની પ્રક્રિયામાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ - આ પાંચ ભૂતોના દ્યોતક જુદા જુદા બીજાક્ષરોનો શરીરનાં વિવિધ અંગો પર ન્યાસ કરવામાં આવે છે. આત્મા કે પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરવાનું હોય છે. = પૃથ્વી મંડલ આદિ પાંચે ભૂતોના વર્ણો, પંચપરમેષ્ઠીના પ્રતીકરૂપ હોવાથી તેના ચિંતન વડે પંચપરમેષ્ઠીઓનું ચિંતન પણ સહજ રીતે થાય છે. કહ્યું પણ છે કે - જળ તત્ત્વ અરિહંતનું, અગ્નિ તત્ત્વ સિદ્ધનું, પૃથ્વી તત્ત્વ આચાર્યનું, વાયુ ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૧૬૧
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy