SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર કારણે ગુણો પ્રગટે : ૧. વિદ્યાભ્યાસથી ૨. બીજાને અનુકૂળ બનાવવા માટે ૩. પોતાનું કાર્ય સિદ્ધ કરવા માટે ૪. કૃતજ્ઞતા પ્રગટ કરવાથી - ઠાણંગ કક્યુશિયસના પાંચ સદ્દગુણ : ૧. જેન : સદાચારી થવું. ૨. ચુન જુ : સારો વ્યવહાર, દિલમાં દયા. ૩. લી : સજજ્ઞાન, વિવેક, આત્મવિશ્વાસ. ૪. તે : ઇમાનદારી, ૫. બેન : ગુણો પર ચીપકી રહેવું. ચાર સહજ ગુણ : ૧. ઉદારતા ૨. મીઠી વાણી ૩. ધીરતા ૪. ઔચિત્યનું જ્ઞાન - ચાણક્ય નીતિ તેર માનસિક ગુણો : ૧. ઉદારતા : બીજાને પોતાનામાં સમાવી શકે. ૨. અનુકરણ પ્રિયતા : મહાપુરુષોમાંથી ગુણ લે. ૩. આકૃતિ જ્ઞાન : બીજાને ઓળખી શકે. ૪. વ્યવસ્થા જ્ઞાન : આયોજન કરી શકે. ૫. અવલોકન ગુણ : નવી નવી ચીજોનું જ્ઞાન પામી શકે. ૬. પ્રસાદ ગુણ : બીજાને સરળતાથી સુધારી શકે. આકાશગંગા • ૧૮૮ | ૭. ઇતિહાસ ગુણ : ભૂતકાળમાંથી બોધ લઇ શકે. ૮. ગણિત જ્ઞાન : એકાગ્રતા વધારી શકે. ૯. સમય જ્ઞાન : સમયનો સદુપયોગ કરી શકે. ૧૦. વસ્તૃત્વ જ્ઞાન : આકર્ષણ શક્તિ મળી શકે. ૧૧. સ્વર જ્ઞાન : નિકટ ભવિષ્યની જાણકારી મળી શકે. ૧૨. તુલના શક્તિ : સમાલોચના કરી શકે. ૧૩. સૌજન્ય ગુણ : વિનય, વિવેક, સભ્યતા કેળવી શકે. નાની ચીજનું મહત્ત્વ : છે નાનો અંકુશ હાથીને નિયંત્રિત કરી શકે. Cછે નાનો દીપક ઘોર અંધકારને ભેદી શકે. છે નાનો વજ મોટા પર્વતને તોડી શકે. છે નાનું રત્ન લાખોપતિ બનાવી શકે. cછે નાનો મંત્ર દેવતાને ખેંચી શકે. Cછે નાનો યંત્ર કલાકો બચાવી આપે. છે નાની સોય મોટા બેને જોડી આપે. & થોડુંક અમૃત બેહોશી દૂર કરી દે. છે નાની કવિતા મોટી સભાને સ્તબ્ધ બનાવી દે. છે નાનો ગુણ પણ મહાન બનાવી દે. ક ભૂષણ સમાં આઠ ગુણો : ૧. બુદ્ધિ ૨. કુલીનતા ૩. ઇન્દ્રિય સંયમ ૪. જ્ઞાન ૫. મિતભાષણ ૬. દાન ન આકાશગંગા • ૧૮૯ –
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy