SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાય વિનયના ભંડાર છે. સાધુ સહાયતાના ભંડાર છે. દર્શન સદ્ભાવનાનો ભંડાર છે. જ્ઞાન સદ્વિચારોનો ભંડાર છે. ચારિત્ર સર્તનનો ભંડાર છે. તપ સંતોષનો ભંડાર છે. * નવપદથી નવ પ્રકારનો સંસાર ટળે : - પૂ.પં.શ્રી ભદ્રંકર વિ.મ. ૧. અરિહંત સ્વાર્થમય સંસારથી મુક્ત બનાવે. ૨. સિદ્ધ દુ:ખમય સંસારથી મુક્ત બનાવે. ૩. આચાર્ય પાપમય સંસારથી મુક્ત બનાવે. ૪. ઉપાધ્યાય અવિદ્યામય સંસારથી મુક્ત બનાવે. ૫. સાધુ વિષય-કષાયમય સંસારથી મુક્ત બનાવે. ૭. ૬. દર્શન રાગમય સંસારથી મુક્ત બનાવે. જ્ઞાન દ્વેષમય સંસારથી મુક્ત બનાવે. ૮. ચારિત્ર મોહમય સંસારથી મુક્ત બનાવે. ૯. ચારિત્ર મોહમય સંસારથી મુક્ત બનાવે. ૧૦. તપ સંજ્ઞામય સંસારથી મુક્ત બનાવે. * તત્ત્વત્રયી : દેવ : ઇચ્છારહિત ગુરુ : મૂર્છારહિત ધર્મ : હિંસારહિત - પૂ.પં.શ્રી ભદ્રંકર વિ.મ. આકાશગંગા ૭ ૮૬ * રત્નત્રયી : દર્શન : નિર્ભ્રાત જ્ઞાન ઃ નિર્મળ ચારિત્ર : નિર્દભ * નવકારનો જાપ શું કરે ? ∞ આભામંડળને નિર્મળ કરે. (લેશ્યા શુદ્ધિ) કષાય તંત્રને તોડી નાખે. પૃથ્વીતત્ત્વથી ચેતનાને બહાર કાઢે. ∞ સત્યનું શોધન કરે. દેહાધ્યાસ દૂર કરે. ∞ ચૈતન્યનો સ્પર્શ કરાવે. * પંચ પરમેષ્ઠીના ધ્યાનથી : ∞ અરિહંતના ધ્યાનથી અહંનું મૃત્યુ. સિદ્ધોના ધ્યાનથી શબ્દનું મૃત્યુ. આચાર્યના ધ્યાનથી મોહનું મૃત્યુ. ∞ ઉપાધ્યાયના ધ્યાનથી અવિદ્યાનું મૃત્યુ. → સાધુના ધ્યાનથી અવિરતિનું મૃત્યુ. * આર્હત્ત્વ કયા કયા રૂપે : સાધુમાં સહાયતા રૂપે. ઉપાધ્યાયમાં જ્ઞાનદાન રૂપે. આચાર્યમાં આચારદાન રૂપે. સિદ્ધોમાં પૂર્ણ પ્રાકટ્ય રૂપે. અરિહંતોમાં સર્વના મૂળ રૂપે. આકાશગંગા - ૮
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy