SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ * સંકટોમાં કૂદી પડો : → મોતી સપાટી પર મળતા નથી. સૂર્યકાંત મણિ અંધારામાં ઝળકતું નથી. ચકમક પત્થર પોચી વસ્તુના ઘર્ષણથી ચિનગારી ફેંકતું નથી. સફળતા સરળતાથી મળતી નથી. ઘોર સંકટોમાં કૂદી પડો. → નિષ્ફળતાથી ડરો નહિ. અન્યાયથી પીસાયેલા મનને બેચેન બનવા દો. તો જ તમારી અંદર આગ પેદા થશે. * જીવન - એક યુદ્ધ : જીવન કો કિસને પહિચાના ? યુદ્ધ જહાં હૈ જીવિત રહેના, ઔર સંધિ હી હૈ મર જાના. * ચાર શૂર પુરુષો : ૧. ક્ષમાશૂર : અરિહંત. ૨. તપ:શૂર : અણગાર. ૩. દાનશૂર : વૈશ્રવણ. ૪. યુદ્ધશૂર : વાસુદેવ - સાવર - ઠાણંગ ૪/૩/૩૧૭ * કવિ ગંગ અને તેનો પુત્ર : અકબરે કવિ ગંગને “સો હી આશ કરો અકબરકી'ની સમસ્યાપૂર્તિ કરવા આપી. ખુમારીથી થનગનતા કવિ ગંગે સમસ્યાપૂર્તિ કરતાં કહ્યું : “જિનકો હરિ કી પરતીત નહિ, સો – આકાશગંગા ૦ ૧૯૮ - હી આશ કરો અકબરકી.” આટલેથી ન અટકતાં અકબરના ગાલ પર જાણે તમાચો મારતાં કહ્યું : અકબર બે અકબર ! નરાંહંદા નર; કે હો જા મેરી સ્ત્રી, કે હોજા મેરા વર. (એક હાથ મેં ઘોડા, એક હાથ મેં ખર; કહના હૈ સો કહ દિયા, અબ કરના હૈ સો કર.) અને ખીજાયેલા અકબરે કવિ ગંગને હાથીને પગતળે છૂંદાવી નાખ્યો. આ વાતના સમાચાર જ્યારે તેના પુત્રને આપવામાં આવ્યા ત્યારે તેણે કહ્યું : ‘દેવોના દરબારમાં પિંગલે છંદ બનાવીને સંભળાવ્યો, પણ કોઇને તેનો અર્થ ન આવડતાં નારદે કહ્યું : અત્યારે પૃથ્વીલોક પર આવા અર્થનો જાણનાર એકમાત્ર ગંગ કવિ છે, તેને અહીં બોલાવીએ તો અર્થ સમજાય અને તરત જ ભગવાને ગંગને દેવલોકના દરબારમાં બોલાવવા ગણેશ (હાથી)ને મોકલ્યા !’ આ સાંભળી લોકો સ્તબ્ધ થઇ ગયા. કેવી ખુમારી ? *** ૪૨. સાર * સારમાં સાર ઃ અસાર સંસારમાં સાર શું ? ‘જિનશાસન’ વિશાળ જિનશાસનમાં સાર શું ? ‘સિદ્ધચક્ર’ સિદ્ધચક્રમાં સાર શું ? ‘નવપદ’ આકાશગંગા - ૧૯૯ -
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy