SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ બદલે આપણા પોતાના પગમાં બૂટ પહેરી લેવાના પ્રયાસોમાં લાગી જવામાં સફળતા મળવાની તો સંભાવના છે જ પણ સાથોસાથ પગને સલામત રાખી દેવાની પણ સંભાવના છે. હા, ‘ક્રાન્તિ’ શબ્દ આમ તો બહુ સરસ છે. મનને ગમે તેવો છે પણ દુનિયામાં કોઈ એક જગાએ પણ ક્રાન્તિ સફળ થઈ હોય એવું તે સાંભળ્યું છે ખરું? શું કહું તને? અનંત તીર્થકર ભગવંતો આ જગતમાં પધારીને મોક્ષમાં પધારીગયા. જગતને સુધારવામાં કે જગતના જીવોને સુધારી દેવામાં એમને સફળતા મળી નથી. તને મળી જશે? બાકી, સાચું કહું ને તો ક્રાન્તિ એ તો મનની એક જાતની ચળ છે કે જેના દ્વારા મન પોતાનો અહં પુષ્ટ કરવા માગે છે. બાકી તું જો સાચે જ તારા જીવનને સલામત અને મનને સ્વસ્થ રાખવા માગે છે તો તારે અંતઃકરણને પ્રિય એવા સંક્રાન્તિના માર્ગ પર કદમ મૂકી દેવાની જરૂર છે. પરિસ્થિતિ બદલી નાખવાની ક્રાન્તિમાં સફળતા છે જ નહીં. મનઃસ્થિતિ બદલી નાખવાની સંક્રાન્તિમાં નિષ્ફળતા નથી.
SR No.008946
Book TitleVandaniya Sangharsh
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size159 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy