SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ પ્રશમરતિ એ તિર્યંચયોનિ અને નરકયોનિની અતિથિ બને છે, એ દુર્ગતિઓમાં હજારો લાખો..... કરોડો વર્ષો સુધી એકધારી જે ભયંકર યાતનાઓ ભોગવે છે, તે યાતનાઓમાં નામ પણ ગણાવવાં શક્ય નથી! એ યાતનાઓનું વર્ણન કરવું તો દૂર રહ્યું, કોણ એનું વર્ણન કરી શકે? કોણ એ અનંત વેદનાઓનાં નામ પણ ગણાવી શકે? પરંતુ આશ્ચર્ય! અનંત અનંત આપત્તિઓમાં ઘેરાયેલો, ઘોર કદર્થના અનુભવ કરતો જીવાત્મા, કષાયોનો ફેડો છોડતો નથી! એ તો કષાયોને જ હિતકારી માનતો રહે છે. એ દુર્ગતિઓમાં એને સમજાવે પણ કોણ? અને એ સમજે પણ કેવી રીતે? જ્યાં બદ્ધિ નહીં, બુદ્ધિનો વિકાસ નહીં, વિવેક નહીં ત્યાં જીવ, કષાયોને સર્વ દુઃખોનું મૂળ કેવી રીતે સમજી શકે? એ સમજવાની ક્ષમતા છે માનવમાં! એની પાસે વિકસિત અને વિવેકી મન છે, નિર્મળ ચિત્ત છે, કર્મોના ભારથી હલકો થયેલો આત્મા છે. કરુણાપૂર્ણ હૃદયથી ગ્રંથકાર મહાત્મા કહે છે : ક્રોધી ન બનો, અભિમાની ન બનો, માયાવી ન બનો, લોભી ન બને. કપાયપરવશતા તમને.... તમારા આત્માને ઘોર આપત્તિઓની ભયંકર ખાઈમાં ધકેલી દેશે. અસંખ્યકાળપર્યત તમને દુઃખ સિવાય, કંઈ જ નહીં મળે.... તમારે એ દુ:ખોનાં નામ જાણવાં ? એ વેદનાઓના પ્રકાર ગણવા છે? એ આપત્તિઓનાં વર્ણન સાંભળવાં છે? તે શક્ય નથી! જે અનંત છે, જે અસંખ્ય છે-એની ગણના કરવી શક્ય નથી, એનું વર્ણન કરવું સંભવિત નથી. તે છતાંય તમારી તીવ્ર જિજ્ઞાસા છે, એ કષાયોની કદર્થના જાણવાની, તો થોડીક વાતો સાંભળી લો. તમારી પાસે બુદ્ધિ છે, મતિ છે.... વિચાર કરવાની ક્ષમતા છે, તો તમે આ થોડા પણ અનર્થોને જાણીને, એના પર ગંભીર ચિંતન કરજો..... તમને વિશ્વમાં દેખાતાં સર્વ દુઃખોનું મૂળ આ કપાયો જ સમજાશે! લો, એક-એક કપાયનો એક-એક મોટો અનર્થ સાંભળો કષાયોનું પરિણામ क्रोधात् प्रीतिविनाशं मानाद् विनयोपघातमाप्नोति । शाठ्यात् प्रत्ययहानिः सर्वगुणविनाशनं लोभात् ।।२५ ।। અર્થ : ક્રોધથી પ્રીતિનો નાશ થાય છે. માનથી વિનય હણાય છે. માયાથી વિશ્વાસની હાનિ થાય છે અને લોભથી સર્વ ગુણ નાશ પામે છે. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy