SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કષાયોનું પરિણામ વિવેચન : માનવ જીવનનાં મહાનું મૂલ્યોનો નાશ! જીવનના અમૃતનો નાશ.... સર્વનાશ... તમે તમારા જીવનમાં “પ્રીતિ નું મૂલ્યાંકન કરો છો? “પ્રીતિ ને જીવનનું મહામૂલું અમૃત માનો છો? જીવનનો આનન્દ, જીવનની સફળતાનો આધાર પ્રીતિ' છે, આ વાત તમે સ્વીકારો છો? અન્ય જીવોની પ્રીતિને તમે તમારું અણમોલ ધન સમજો છો? બીજા મનુષ્યનો તમારા પ્રત્યેનો સ્નેહ-તમારું જીવન છે, આ સત્ય પર તમે ચિંતન કર્યું છે? જો તમે “હા” કહેતા હો તો ક્રોધ ક્યારે ય ન કરશો. ક્રોધની આગને અંતરમાં પ્રગટવા જ ન દેશો. પ્રિયતમ વ્યક્તિઓ સાથેની પણ પ્રીતિ, ક્રોધના ભીષણ દાવાનળમાં બળઝળીને રાખ થઈ જશે. અન્ય જીવાત્માઓની પ્રીતિ વિનાનું તમારું જીવન રસહીન બની જશે. અને “વિનયની મઘમઘ થતી સોડમ તમને ન ગમતી હોય, રંક જીવનને વૈભવશાળી બનાવનારા વિનયની વિશ્વમંગલા વર્ષામાં સ્નાન કરવું ન ગમતું હોય તો ભલે તમે અભિમાનના આધારહીન આકાશમાં ઉડ્યા કરો! ઉદ્દીપ્ત અભિમાનની પાશવી વૃત્તિઓ, વિનયધર્મનો સંહાર કરીને તમારા જીવનને સ્મશાનભૂમિ બનાવીને ભલે નગ્ન નૃત્ય કરે! જો તમે વિપ યકૃત્યો ધમો ધર્મ વિનયમૂલક છે' આ આહંતુ વચનને માનતા હો, તો માનકષાયનો ક્યારેય સહારો ન લો, માન કરીને તમારે શું જોઈએ છે ? તમારે લોકોનાં સન્માન જોઈએ છે? ભલે, વિનયધર્મને અપનાવો, તમને સાચાં સન્માન મળશે! જે વિનય આપણને મોક્ષ આપી શકે છે તે વિનય શું માન-સન્માન નહીં આપે! માટે વિનયધર્મને વળગી રહો, માનની વાસનાઓ ફેંકી દો. વિશ્વાસ તમારા પર કોઈનોય વિશ્વાસ ન હોય, સહુ તમારા પ્રત્યે શંકાની દૃષ્ટિથી જોતા હોય તો તે તમને ગમશે? તમારો પરિવાર, તમારા મિત્રો, તમારા સ્નેહી-સ્વજનો, કોઈપણ તમારા પર વિશ્વાસ કરવા તૈયાર ન હોય તો પણ તમે આનંદથી જીવન જીવી શકશો? નહીંને? તો પછી તમે માયા શા માટે કરો છો? કપટ શા માટે કરો છો? માયા વિશ્વાસનો ઘાત કરે છે. માયાવી પર કોઈ વિશ્વાસ મૂકતું નથી. પરિવાર, સમાજ અને નગરનો વિશ્વાસ જ અખંડિત રાખવા ઇચ્છતા હો તો માયા-કપટના ખેલ ખેલવા ત્યજી દો, સરળ બન્યા રહો, ન્યાય-નીતિ અને For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy