SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોહનીયનો ક્ષય કરો ૪૫૫ હોય, તે આગમાં બીજા આત્માઓનાં કમને લાવી લાવીને હોમી ન શકે! થોડાં કર્મોન પણ લાવીને બાળી ના શકે. કારણ કે એક જીવનાં કર્મો બીજા જીવમાં સંક્રમિત થઈ શકતાં નથી. આ અપરિવર્તનીય-શાશ્વત્ નિયમ છે. જ એ શક્ય હોત તો તીર્થકર બનનારા આત્મામાં તો અપાર કરુણા ભરેલી હોય છે. તે આત્મા શુક્લધ્યાનમાં પણ પ્રવેશે છે, ધ્યાનની પ્રચંડ આગ પણ પ્રગટે છે. તેમાં તે સંસારના સર્વે જીવોનાં કર્મોને સંક્રમાવીને બાળી શકત અને બધા જ જીવોને વીતરાગ બનાવી શકત! પરંતુ એ શક્ય જ નથી. એટલે તો સંસારના અનન્ત અનંત જીવો પોત-પોતાનાં કમોંને ભોગવે છે. જે જીવાત્માને પોતાનાં કર્મોનો ક્ષય કરવો હોય, તેણે સ્વયં શુક્લધ્યાનમાં પ્રવેશવું પડે, શુક્લધ્યાનની પ્રચંડ આગમાં પોતાનાં કર્મોને હોમીને તે વિતરાગ બની શકે. જે બાંધે તે ભોગવે! જે બાંધે તે જ છોડે! મોહનીયનો ક્ષય કરે मस्तकसूचिविनाशात्तालस्य यथा ध्रुवो भवति नाशः । तद्वत् कर्मविनाशो हि मोहनीयक्षये नित्यम् ।।२६७ ।। અર્થ : તાડવૃક્ષના માથેટોચી જે સૂચિ-શાખા ઊગેલી હોય છે, તે શાખાનો નાશ થવાથી જેમ તાડવૃક્ષનો અવશ્ય નાશ થાય છે તેમ મોહનીયનો લય થતાં સર્વ કમનો અવશ્ય નાકા થાય છે. વિવેવન : મોહનીય-કર્મનો નાશ થવાથી બીજાં કર્મોનો અવશ્ય નાશ થાય એવું કેવી રીતે બની શકે? દુનિયામાં શું એવું જોવા મળે છે કે એક વસ્તુનો નાશ થતાં, તેનાથી સંલગ્ન બીજી વસ્તુઓનો પણ નાશ થઈ જાય? આવી જિજ્ઞાસા, તત્ત્વગચંપક મનમાં પેદા થઈ શકે છે. એવી જિજ્ઞાસાને સંતોષતા ગ્રન્થકાર મહર્ષિ, દુનિયામાંથી એક એવું વૃક્ષ શોધી કાઢીને કહે છે : જુઓ, આ તાડવૃક્ષ છે. તાડવૃક્ષની ટોચે જે શાખા ઊગેલી છે, તેને તોડી નાખવાથી આખું તાડવૃક્ષ એની મેળે જ નાશ પામે છે! એવી રીતે મોહનીય કર્મનો નાશ થતાં બીજાં કર્મો એની મેળે નાશ પામી જાય છે. પહેલાં ઘાતકર્મ નાશ પામે છે, પછી અઘાતી કર્મ નાશ પામે છે. માટે, માહનીય કર્મનો નાશ કરવાનો પ્રચંડ પુરુષાર્થ કરવો જોઈએ. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy