SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪પ૪. પ્રશમરતિ શુક્લધ્યાની મહાત્મા પ્રશાન્ત હોય છે. પ્રશમરસથી તે ભીંજાયેલો રહે છે એટલે કમાં બળે છે...એ સ્વયં નથી બળતો! સૂક્ષ્મ-સંપરા ચારિત્ર અને યથાખ્યાત ચારિત્રના સંવરભાવથી એ એટલો બધો સ્થિર હોય છે ચારિત્ર રિચરતાપ) કે, શુક્લધ્યાનની દાહક-શક્તિ એના સહારે વિશેષ વૃદ્ધિ પામે છે. આંખોથી આ આગ દેખાતી નથી કે શરીરથી એ અનુભવાતી નથી! એવી અદ્ભુત આ આધ્યાત્મિક આગ છે...આત્માને પરમ વિશુદ્ધ કરનારી આ આગ છે...આ આગની દાહ-શક્તિનો વિશેષ ખ્યાલ ગ્રન્થકાર સ્વયં આપે છે : જે બાંધે તે ભોગવે क्षपक श्रेणिमुगपत: स समर्थः सर्वकर्मिणां कर्म। क्षपयितुमेको यदि कर्मसंक्रमः स्यात् परकृतस्य ।।२६५।। परकृतकर्माणि यस्मानाकामति संक्रमो विभागो वा। तस्मात् सत्त्वानां कर्म यस्य यत्तेन तद्वेधम् ।।२६६।। અર્થ : ક્ષપક શ્રેણીએ ચઢેલો તે આત્મા, જે બીજા જીવનાં બાંધેલાં કમોના એનામા. સંક્રમ થઈ શકતા હોય તો, એકલા જ બધા જીવોનાં કમનો ક્ષય કરવા સમર્થ હોય છે. પરંતુ એક જીવનાં કમ બીજા જીવના કામમાં નથી સંપૂર્ણ સંક્રમતાં કે નથી કોઈ ભાગ એમાં ભળતી, માટે જે જીવ કર્મ બાંધે છે તે જીવ તેને ભોગવે છે. વિવેચન : ચાહ જીવાત્મા હોય, મહાત્મા હોય કે પરમાત્મા હોય, એમની બધી જ શુભ ભાવનાઓ ફળવતી નથી થતી. ઉત્તમ અને ઉત્તમોત્તમ પુરુપના હવે એવી શ્રેષ્ઠ ભાવનાઓ હિલોળા લેતી હોય છે કે : “દુનિયાના બધા જ જીવોનાં હું દુઃખ દૂર કરી અને પરમ સુખ પમાડી દઉં. દુનિયામાં કોઈ જીવ દુ:ખી ન રહેવી જોઈએ...' પરંતુ આજ સુધીમાં થઈ ગયેલા અનન્ત તીર્થકરોમાંથી કોઈની પણ આ શુભભાવના ફળવતી નથી બની શકી. કારણ કે વિશ્વવ્યવસ્થા કે જે શાશ્વત્ છે, તેમાં કોઈ જ પરિવર્તન કરી શકતું નથી. આન્તર-જગતની પણ...આધ્યાત્મિક જગતની પણ કેટલીક શાશ્વતુઅપરિવર્તનીય વ્યવસ્થાઓ છે. તેમાં પરિવર્તનની કોઈ શક્યતા જ સર્વજ્ઞોએ જંઈ નથી..તેમાંની એક વાસ્તવિકતા એ છે કે : એક જીવાત્માએ બાંધેલાં કર્મોનો, બીજ આત્મા નાશ ન કરી શકે! અર્થાત્ એક આત્મા શુક્લધ્યાનની પ્રચંડ આગમાં પોતાના અનન્ત કમને બાળી રહ્યો For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy