SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૦ પ્રશમરતિ નરકગતિ, તિર્યંચગતિ, અકેન્દ્રિય જાતિ, બંઇન્દ્રિય જાતિ, તેઇન્દ્રિય જાતિ, ચરિન્દ્રિય જાતિ, નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. તે પછી ‘દર્શનાવરણ’ કર્મની ત્રણ પ્રકૃતિનો નાશ કરે છે : નિદ્રાનિદ્રા પ્રચલા-પ્રચલા સ્થાનહિઁ. આ રીતે ૧૩+૩=૧૬ પ્રકૃતિનો નાશ કરીને પછી, પડતા મૂકેલા આઠ કપાયોનો સંપૂર્ણ નાશ કરે છે. 1'' આઠ કષાયોના શેષ અંશને ‘નપુંસક વૈદ'માં નાંખીને, નપુંસક વેદનો નાશ કરે છે. તેનો શેષ અંશ ‘સ્ત્રીવેદ'માં નાંખીને સ્ત્રીવેદનો નાશ કરે છે. [૮ કષાય + ૨ વેદ=૧૦] ૧૪ ત્યાર પછી, હાસ્ય-રતિ-અતિ-ભય-શોક-જુગુપ્સાનો એક સાથે જ નાશ કરવાનો પ્રારંભ કરે છે. એનો નાશ કર્યા પછી, પુરુષવેદ ક્ષપક શ્રેણીએ ચઢનાર પુરુષ હોય તો।,નો નાશ કરવા આગળ વધે છે. ૧:૫ 1, પુરુષવેદના ભાગ ત્રણ કરે છે. પહેલા બે ભાગોનો એક સાથે નાશ કરે છે. ત્રીજા ભાગને એ ‘સંજ્વલન ક્રોધ'માં નાંખે છે. સંજ્વલન ક્રોધના પણ ત્રણ ભાગ કરે છે. બે ભાગનો યુગપત્ નાશ કરે છે અને ત્રીજા ભાગને ‘સંજ્વલન માન'માં નાખે છે, સંજ્વલન માનના ત્રણ ભાગ કરે છે. બે ભાગનો નાશ કરીને ત્રીજા ભાગને ‘સંજ્વલન માયા'માં નાંખે છે. સંજ્વલન માયાના ત્રણ ભાગ કરે છે. બે ભાગનો નાશ કરીને ત્રીજા ભાગને ‘સંજ્વલન લાભ'માં નાખે છે. સંજ્વલન લાભના ત્રણ ભાગ કરે છે, બે ભાગનો નાશ કરે છે, અને ત્રીજા ભાગના સંખ્યાતા [અનેક] ટુકડા કરી નાખે છે. તે લોભના સંખ્યાતા ટુકડાનો નાશ કરતો કરતો તે આગળ વધે છે. આ પ્રક્રિયા નવમાં ગુણસ્થાનકે થાય છે. એટલે આ નવમા ગુણસ્થાનકનું નામ ‘બાદર સંપરાય’ છ| ‘બાદર – મોટા, ૧૨૩, અગિયારમું ગુણસ્થાનક ઉપશમ-શ્રેણી' માં ચઢેલા જીવો જ સ્પર્શે છે. આ ગુણસ્થાનકે આત્મા વધુમાં વધુ એક અન્તર્મુહુર્ત સમય જ રહી શકે છે. ૧૨૪. આ ગુણસ્થાનકે જો જીવનું મૃત્યુ થઇ જાય તો તે મરીને ‘અનુત્તર દેવલોક'માં જન્મે, ત્યાં અને ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થાય. = ૧૨૫. આગમિક મત પ્રમાણે મનુષ્ય એક ભવમાં ઉપશમ શ્રેણી કે ક્ષેપક શ્રેણી બંમાંથી અંક ૪ શ્રેણીએ ચઢી શકે. ૧૨૬. કર્મગ્રન્થના મતે, એક ભવમાં મનુષ્ય બે વાર શ્રેણીએ ચઢી શકે છે. એકવાર ઉપશમ શ્રેણીએ ચઢ્યો હોય તો તે એકવાર ક્ષેપક શ્રેણી માડી શકે છે, બે વાર ઉપશમ શ્રેણી માંડી હોય તો પછી ક્ષેપક શ્રેણીએ ન ચઢી શકે. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy