SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુક્લધ્યાન ४४९ - સંજવલન કષાય, જીવાત્મામાં યથાખ્યાત-ચારિત્રનો ગુણ પ્રગટવા નથી દેતા. નો-કષાય મોહનીયના નવ પ્રકાર નીચે મુજબ છે : હાસ્ય રતિ અરતિ ભય શોક જુગુપ્સા પુરુષવેદી સ્ત્રીવેદી નપુંસકવેદ. આ નવ ભાવો કષાયનાં જ સૂક્ષ્મરૂપ હોવાથી એને “નો-કષાય' કહેવામાં આવ્યા છે. કાપાયિક ભાવો હોવા છતાં જીવાત્માને તે કાષાયિક ભાવો લાગતા નથી. પુરુષવદ સ્ત્રીના ઉપભોગની ઇચ્છા, સ્ત્રીવેદ=પુરુષના ઉપભોગની ઇચ્છા, નપુંસકવંદસ્ત્રી અને પુરુષ-બંનેના ઉપભોગની ઈચ્છા હવે, ક્ષપકશ્રેણીમાં વિશિષ્ટ ધ્યાનપ્રક્રિયા ચઢતો મહાત્મા, ક્યા ક્રમથી અને કેવી રીતે આ મોહનીય કર્મના ૨૮ પ્રકારોનો નાશ કરે છે, તે સમજીએ. સર્વપ્રથમ અનન્તાનુબંધી ચારેય કષાયનો એક સાથે નાશ કરે છે; પરન્તુ એ કષાયોના બહુ જ થોડા[અનત્તમા ભાગના કણ જે રહી ગયા હોય છે તેને મિથ્યાત્વ-મોહનીયમાં નાંખીને મિથ્યાત્વનો નાશ કરે છે. ૪િ કપાય+મિથ્યાત્વ=પ નો નાશ... મિથ્યાત્વ-મોહનીયના શેષ અંશોને મિશ્ર-મોહનીયમાં નાખીને, મિશ્રમોહનીયનો નાશ કરે છે અને મિશ્રમોહના શેપ અંશોને સમ્યક્ત્વ-મોહનીયમાં નાખીને સમ્યક્ત્વ-મોહનીયનો નાશ કરે છે.૧ મિશ્ર મોહ૦+૧ સમ્યક્ત્વ મોહ૦=૨ નો નાશ.. . જો આ ધ્યાન કરનાર આત્માએ આગામી ગતિનું “આયુષ્ય કર્મ બાંધી લીધું હોય તો તે, આ મોહનીય કર્મની સાત પ્રકૃતિનો નાશ કરીને અટકી જાય છે. ધ્યાનની ઉપરની ભૂમિકાએ ચઢી શકતો નથી અને મોહનીય કર્મની શેષ પ્રકૃતિઓનો નાશ કરી શકતો નથી, પરંતુ એણે જે મોહનીય કર્મની સાત પ્રકૃતિઓનો નાશ કર્યો હોય છે એના ફળરૂપે એને “ક્ષાયિક સમ્યગુદર્શન' પ્રાપ્ત થાય છે. જે આત્માનું આયુષ્ય કર્મ બંધાયેલું હોતું નથી તે આત્મા ક્યાંય અટક્યા વિના અવિરતપણે ધ્યાનમાં આગળ વધે છે. સાત પ્રકૃતિનો નાશ કરીને, અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ આઠ કપાયોનો નાશ કરવાની શરૂઆત કરે છે. આ કષાયોનો થોડો નાશ કર્યા પછી, એને પડતા મૂકી, વચ્ચે નામકર્મ' ની તેર પ્રકૃતિનો નાશ કરે છે. તે ૧૩ પ્રકૃતિનાં નામ નીચે પ્રમાણે છે : For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy