SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુક્લધ્યાની પૂર્ણચન્દ્ર જેવા ૪૫૧ સંપરાય = લોભકષાય. લોભના મોટા ટુકડાઓનો ક્ષય અહીં થાય છે. તેમાં છેલ્લો લોભ-ટુકડો જે રહે, તેના અસંખ્ય ટુકડા કરી નાખે છે. તે અસંખ્ય સૂક્ષ્મ લોભ-ટુકડાઓનો નાશ જે ગુણસ્થાનકે કરે છે તે ગુણસ્થાનક સૂક્ષ્મ સંપરાય' કહેવાય છે, એ બધા સૂક્ષ્મ લાભકનો સંપૂર્ણ નાશ થઈ જતાં તે આત્મા આગળ વધી જાય છે...દશમા ગુણસ્થાનકથી સીધો બારમાં ગુણસ્થાનકે પહોંચે છે. (અગિયારમા ગુણસ્થાનકને જે જીવ સ્પર્શ છે તે આગળ નથી વધી શકતો, નીચે ઊતરે છે. ક્ષપકશ્રેણીમાં ચઢતો આત્મા ૧૧ મા ગુણસ્થાનકને સ્પર્ધો વિના સીધો ૧૨ મા ગુણસ્થાનકે પહોંચે છે.] બારમાં ગુણસ્થાનકે આત્મા, મોહનીય કર્મનો સર્વથા નાશ કરીને આવ્યો હોવાથી વીતરાગ હોય છે, છતાં તે છાસ્થ હોય છે. કારણ કે દર્શનાવરણ, જ્ઞાનાવરણ અને અંતરાય આ કર્મોનો નાશ કરવાનો બાકી હોય છે. એટલે, બારમા ગુણસ્થાનકે આવીને કંઈક [થોડી ક્ષણ) વિશ્રામ કરીને, જ્યારે બે સમય બાકી રહે છે ત્યારે પહેલા સમયે નિદ્રા અને પ્રચલા-આ બે દર્શનાવરણની પ્રકૃતિનો નાશ કરે છે અને છેલ્લા સમયે એક જ પ્રહારમાં જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪ અને અત્તરાય-૫ નો ખાતમો બોલાવી દે છે! અને તેરમાં ગુણસ્થાનકના પહેલા જ સમયે સર્વજ્ઞ-સર્વદર્શી બની જાય છે. સર્વજ્ઞ-સર્વદશ તો તેરમાં ગુણસ્થાનક બને છે, પરન્તુ બારમાં ગુણસ્થાનકે વીતરાગ બનેલો આત્મા સર્વજ્ઞની જેમ જ, પૂર્ણચન્દ્રના જેવો શોભતો હોય છે...રાહુનો એક પણ અંશ જ્યારે ચન્દ્રને સ્પર્શત ન હોય.. ત્યારે એ પૂર્ણ ચન્દ્ર કહેવાય છે. એવી રીતે મોહનીય કર્મને એક પણ અંશ આત્માને સ્પર્શતા નથી. હોતો ત્યારે તે વીતરાગ કહેવાય છે. આ વાત ગ્રન્થકાર હવે કહે છે : શુકલધ્યાની પૂર્ણચન્દ્ર જેવા सर्वोद्घातितमोहो निहतक्लेशो यथा हि सर्वज्ञः । भात्यनुपलक्ष्यराहवंशोन्मुक्तः पूर्णचन्द्र इव ।।२६३ ।। અર્થ : સમસ્ત મોહનો નાશ કરનાર અને ક્લેશો ક્રિોધાદિ નું હનન કરનાર મુનિ, નહીં દેખાતા રાહુના મુખાદિ અંશોથી મુક્ત પૂર્ણચન્દ્રની જેમ શોભે છે. વિવેચન : મોહનીય કર્મને રાહુની ઉપમા આપેલી છે. ક વીતરાગ બનેલા આત્માને પૂર્ણચન્દ્રની ઉપમા આપેલી છે. રાહુનો અને ચન્દ્રનો સંબંધ છે? શત્રુતાનો સંબંધ છે. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy