SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૪ પ્રશમરતિ વિવેચન : આત્મશુદ્ધિ-આત્મગુણોની વૃદ્ધિની અપેક્ષાએ, સમ્યગદર્શનાદિનું સાહચર્ય અને અ-સાહચર્ય ગ્રન્થકાર બતાવી રહ્યા છે. આત્મશુદ્ધિની ક્રમિક ભૂમિકાઓને જૈન પરિભાષામાં “ગુણસ્થાનક' કહેવામાં આવ્યાં છે. એકથી ચૌદ ગુણસ્થાનકો બતાવાયાં છે. આધ્યાત્મિક વિકાસયાત્રાનો પ્રારંભ ચોથા ગુણસ્થાનકેથી થાય; કારણ કે ત્યાં જીવાત્મા નિર્કાન્ત બનતો. હોય છે, જગતનું યથાર્થ દર્શન કરતો હોય છે, આત્મતત્વની અનુભૂતિ કરતો હોય છે. પરંતુ આ બધું બાહ્ય આચાર રૂપે નથી હોતું, શ્રદ્ધારૂપ હોય છે, સમજણરૂપ હોય છે. શ્રદ્ધા એટલે સમ્યગુદર્શન અને સમજણ અટલે સમ્યગુજ્ઞાન. એટલે કે આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ આંતરિક ભૂમિકાથી શરૂ થતો હોય છે. જ્યારે એ વિકાસયાત્રા આગળ વધે છે અને પાંચમાં ગુણસ્થાનકે પહોંચે છે, ત્યારે એ શ્રદ્ધા અને સમજણને અનુરૂપ આંશિક સદાચરણ એના જીવનમાં આવે છે. અર્થાત્ આંશિક ચારિત્ર આવે છે. છઠ્ઠા ગુણસ્થાનકે સમ્યગદર્શન. સમ્યગૂજ્ઞાન અને સમ્યકુચારિત્રના સુમેળ જામે છે. આ ગુણસ્થાનકે આ ત્રણ સાથે જ હોય! પછી, આગળ આગળના ગુણસ્થાનકોમાં પણ સાથે જ રહે છે. આત્મા વધુ ને વધુ નિર્મળ થતા જાય છે. આરાઘક કોણ? धर्मावश्यकयोगेषु भावितात्मा प्रमादपरिवर्जी । सम्यक्त्वज्ञानचारित्राणामाराधको भवति ।।२३२ ।। અર્થ : ધમાંમાં ક્ષમા આદિ અને આવશ્યક ક્રિયાઓમાં પ્રિતિક્રમાદિ, શ્રદ્ધાશીલ તથા અપ્રમાદી આત્મા સમ્યગદર્શન-જ્ઞાન અને ચારિત્રનાં આરાધક બને છે વિવેવન : મોક્ષમાર્ગ નિરંતર પ્રગતિ કરવા માટે સમ્યગદર્શન-જ્ઞાચારિત્રની યથાર્થ આરાધના કરવા માટે બે શરત છે : ૧. શ્રદ્ધા, અને ર. અપ્રમાદ! માત્ર શાબ્દિક શ્રદ્ધા નહીં, શ્રદ્ધા જોઈએ હાર્દિક! શ્રદ્ધા જોઈએ આત્મિક! એ શ્રદ્ધાનો વિષય હોય ધર્મ. ભાવાત્મક અને ક્રિયાત્મક-બંને ધર્મ તરફ અહોભાવપૂર્વક શ્રદ્ધા જોઈએ. ક્ષમા, નમ્રતા, સરળતા, અકિંચન્ય. આદિ દશ પ્રકારના નિધર્મ પર શ્રદ્ધા જોઈએ. આ નિધર્મ ભાવાત્મક ધર્મ છે. પ્રતિક્રમણ, આલોચના, સ્વાધ્યાય, પ્રતિલેખના, પ્રમાર્જના, નિર્ગમ-પ્રવેશ...વગેરે છે ક્રિયાત્મક ધર્મ, આ ક્રિયાત્મક ધર્મ ઉપર શ્રદ્ધા જોઈએ. અવિહડ શ્રદ્ધા જોઈએ. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy