SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાર્ગ ૪૧૩ મોક્ષનું સ્વરૂપ : લોકાંતે રહેલી “ઈષતુપ્રાગભારા' નામની ધરતીને “મોક્ષ કહેવામાં આવે છે. વાસ્તવમાં એ મુક્તાત્માઓનું વિશિષ્ટ સ્થાન છે. જે આત્માઓ જ્ઞાનાવરણાદિ આઠેય કમનો નાશ કરે છે તે આત્માઓ “પપ્રાગુભાર” ધરતી પર કે જેને “સિયશિલા' પણ કહેવામાં આવે છે, ત્યાં પહોંચે છે અને કેવળ આત્મસ્વભાવમાં સ્થિર થઈ જાય છે. આત્માની વિકાસયાત્રી ત્યાં પૂર્ણ થઈ જાય છે. આત્મગુણોની પૂર્ણતા પ્રગટી જાય છે. પછી, એ પૂર્ણાત્મા ક્યારેય અપૂર્ણ બનતો નથી, દેહધારી બનતો નથી. મોક્ષમાર્ગનું સ્વરૂપ : મોક્ષનો માર્ગ એટલે આત્માની શુદ્ધિ. એ શદ્ધિનાં અસાધારણ કારણો છે: સમ્યગુદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યફચારિત્ર. માટે કારણમાં કાર્યને ઉપચાર કરીને સમ્યગુદર્શનાદિ ત્રણને મોક્ષમાર્ગ કહેવામાં આવ્યો છે. છે જ્ઞાન અને ચારિત્ર વિના એકલું સમ્યગદર્શન મોક્ષમાર્ગ ન બને. આ જ્ઞાન અને દર્શન વિનાનું એકલું ચારિત્ર મોક્ષમાર્ગ ન બને. દર્શન અને ચારિત્ર વિનાનું એકલું જ્ઞાન મોક્ષમાર્ગ ન બને. - દર્શન અને જ્ઞાન હોય, પરંતુ ચારિત્ર ન હોય તો મોક્ષમાર્ગ નથી! જ્ઞાન અને ચારિત્ર હોય, પરંતુ દર્શન ન હોય તો મોક્ષમાર્ગ નથી! દર્શન અને ચારિત્ર હોય, પરંતુ જ્ઞાન ન હોય તો મોક્ષમાર્ગ નથી! અર્થાત્ સમ્યગદર્શન-જ્ઞાન અને ચારિત્ર સમૂહપણે મોક્ષમાર્ગ બને છે. જેમ ત્રિફળાનું ચૂર્ણ! હરડે, બહે અને આમળા-ત્રણ ભેગાં થાય ત્યારે જ ત્રિફળાચૂર્ણ બને અને ઔષધનું કામ કરે. पूर्वद्वयसम्पद्यपि तेषां भजनीयमुत्तरं भवति। पूर्वद्वयलाभः पुनरुत्तरलाभे भवति सिद्धः ।।२३१।। અર્થ : પહેલાં બિ સમ્યગદર્શન-સમ્યજ્ઞાના હોય તે સમ્યફચારિત્રની ભજના હોય છે ચારિત્ર હોય પણ ખરુ, ન પણ હોય પરંતુ સમ્યફચારિત્ર હોય છતે સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાન હોય. १००. मोक्ष इति च ज्ञानावरणद्यष्टविधकर्मक्षयलक्षणः केवलात्मस्वभावः कथ्यते स्वात्मावस्थानरूपः। - तत्त्वार्थटीकायाम् १०१. मोक्षस्य मार्गः शुद्धिरुच्यते। - तत्त्वार्थटीकायाम् १०२. सम्यग्दर्शन-ज्ञान-चारित्रणि मोक्षमार्गः । - तत्त्वार्थसूत्रे/ अ० १ सु० १ For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy