SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨પ૭ કલધ્ય-અકથ્ય એવી રીતે જે વસ્ત્રો (રેશમી વગેરે) શુદ્ધ મળતાં હોવા છતાં સાધુ માટે અકથ્ય છે, તે વસ્ત્રો બીમારી વગેરે કારણે કચ્ય બને છે. જે ઉપાશ્રય કે મકાન સાધુ માટે યોગ્ય ન હોય છતાં વિશિષ્ટ કારણે સાધુ એ મકાનમાં રહી શકે છે. જે પાત્ર (ધાતુ વગેરેનાં) સાધુના ઉપયોગમાં નથી આવી શકતાં, તે પાત્ર વિશિષ્ટ કારણે સાધુના ઉપયોગમાં આવી શકે છે. જે ઔષધ સાધુ ન વાપરી શકે તે ઔષધ એવી ગાઢ બીમારીના કારણે સાધુ વાપરી શકે છે. આ રીતે, અકથ્ય એવું ભોજન, મકાન, વસ્ત્ર, પાત્ર અને દવા વગેરે વિશિષ્ટ સંયોગોમાં કષ્ય બની શકે છે. એ વિશિષ્ટ સંયોગોનો નિર્ણય ગીતાર્થ મુનિ કરી શકે છે. કલ્પ અને અકથ્યનો નિર્ણય ઉત્સર્ગમાર્ગ અને અપવાદ-માર્ગના જ્ઞાતા એવા પ્રજ્ઞાવંત શ્રમણો કરી શકે. ગમે તે સાધુ કે સાધ્વી કથ્યને અકથ્ય કે અકથ્યને કથ્થુ ન માની શકે. એમના માટે તો ગીતાર્થ ગુરુજનોના માર્ગદર્શન મુજબ કથ્ય-અકથ્યનો નિર્ણય બંધનકર્તા હોય છે. આ રીતે કથ્ય અને અકથ્યના નિયમો એકાંતિક નથી. એક નિયમ સહુના માટે બંધનકર્તા નથી. એના માટે મધ્ય હોય તે બીજાના માટે કચ્ય બની શકે. એટલે કથ્ય-અકથ્યના વિષયમાં કોઈનું અનુકરણ ન કરવું જોઈએ. એવી રીતે કોઈની નિંદા ન કરવી જોઈએ. ફલાણા સાધુ આ વસ્તુ વાપરે છે તો આપણને વાપરવામાં શો વાંધો?' અથવા “અમુક સાધુ અમુક વસ્તુ નથી વાપરતા તો આપણાથી કેમ વપરાય?” આવું અનુકરણ ન કરવું જોઈએ. અમુક સાધુઓ તો અકથ્ય વાપરે છે...આવું તો ન જ વપરાય...આવી જગાયે તો ન જ રહેવાય...' આવી નિન્દાઓ ન કરવી જોઈએ. કથ્ય અને અકલ્પના નિયમો ત્રિકાલાબાધિત નથી. રોગથી આક્રાન્ત સાધુને સચિત્ત અને મિશ્ર ઔષધ લેવાનું પણ કપ્ય બતાવવામાં આવ્યું છે. એ અપવાદ-માર્ગ છે. એ અપવાદમાર્ગનું અવલંબન ક્યારે, કેવી રીતે અને કેટલું લેવું, તે અંગે આગમ ગ્રન્થોમાં માર્ગદર્શન આપવામાં આવેલું છે. અપવાદમાર્ગનું આલંબન પણ શાસ્ત્રદૃષ્ટિથી જ લેવાનું છે. જેવી રીતે ઉત્સર્ગ-માર્ગ મોક્ષમાર્ગ છે તેવી રીતે અપવાદમાર્ગ પણ મોક્ષમાર્ગ છે. એકલો ઉત્સર્ગમાર્ગ મોક્ષમાર્ગ નથી, એકલ અપવાદમાર્ગ મોક્ષમાર્ગ નથી. બંને એકબીજાને સાપેક્ષપણે મોક્ષમાર્ગ બને છે. કથ્ય અને અકથ્યના વિષયમાં અનેકાન્તદષ્ટિ આપીને ગ્રન્થકાર મહર્ષિ કણ્યાકથ્યના વિષયમાં અનાગ્રહી બનવાનો ઉપદેશ આપે છે. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy