SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨પ પ્રશમરતિ ગીતાર્થ નથી, પરિપક્વ નથી એવા સાધુઓ પેલા સંન્યાસીઓ વગેરેના આચરણને જોઈને ભ્રમિત થવાની સંભાવના રહે છે. અલબત્ત એ સ્થાન નિર્દોષ છે, છતાં સમ્યગુદર્શનને ક્ષતિ પહોંચવાની સંભાવના હોવાથી વર્ય બની જાય છે. આવું સ્થાન જ્ઞાનોપાસના માટે પણ ઉપયુક્ત નથી હોતું. અનેક મુસાફરોની અવરજવરથી સ્વાધ્યાયનો વ્યાઘાત થાય છે. કથ્ય પણ અકથ્ય ક્યારે બને છે, કેવી રીતે બને છે, તેનાં આ ઉદાહરણ છે. આ દૃષ્ટિથી સાધુએ કથ્ય અકથ્યનો ભેદ કરવાનો છે. આ દષ્ટિથી જીવન જીવનાર સાધુ નિર્વિક્નપણે મોક્ષયાત્રામાં આગળ વધતો રહે છે. किंचिच्छुद्धं कल्यमकल्प्यं स्यात्स्यादकल्प्यमपि कल्प्यम् । - પિ: શિષ્ય વસ્ત્ર વા એપના યા 119૪T અર્થ : ભોજન, મકાન, વસ્ત્ર, પાત્ર કે પધ વગેરે કોઈ વસ્તુ શુદ્ધ કપ્ય હોય છતાં અફધ્ય બની જાય છે અને અકલ્પ હોવા છતાં કષ્પ બની જાય છે. વિવેચન : હે મુનિરાજ, ભલે તમે ગોચરીના ૪૨ દોષ ટાળીને ધી, દૂધ, દહીં અને ગોળ-ખાંડ વગેરે આહાર લાવી શકતા હો, પરંતુ તે છતાં તમારે તેવો આહાર ન લેવો જોઈએ. એમ ન વિચારવું જોઈએ કે “જિનાજ્ઞા તો નિર્દોષ આહાર ગ્રહણ કરવાની છે, હું દોષરહિત ભિક્ષા લાવું છું. પછી ઘી-દૂધ વગેરે અકથ્ય કેમ?' જેવી રીતે દોષયુક્ત આહાર મનના અધ્યવસાયને અશુભ અને અસ્થિર કરે છે માટે તે અકથ્ય છે, તેવી રીતે ઘી-દૂધ-દહીં વગેરે માદક પદાર્થો પણ મનના અધ્યવસાયન અશુભ અને અસ્થિર બનાવે છે માટે અકથ્ય છે. મન જ્યાં અશુભ અને અસ્થિર બન્યું, ત્યાં સંયમ-જીવન સુરક્ષિત ન રહે ઇન્દ્રિયો પ્રશાન્ત ન રહે, સંયમયોગોની આરાધનામાં અપ્રમત્તતા ન રહે. દૂધ-દહીં-ઘી-ગોળ વગેરેને વિકૃતિ' (વિગઈ) કહેવામાં આવ્યાં છે. તે પદાર્થોનો આહાર કરનારનાં તન-મન વિકારોથી વ્યાપ્ત થઈ જાય છે માટે તેને વિકૃતિ' કહેવામાં આવે છે. એ વિકૃત-ભોજન ભલે ૪૨ દોપાથી રહિત મળતું હોય છતાં અકથ્ય છે. પરંતુ જો વંદ્ય બીમાર સાધુને દૂધ-દહીં કે ઘી વગેરે લેવાનું કહે તો એ બીમાર સાધુ માટે કહ્ય છે! બાલ મુનિ હોય કે વયોવૃદ્ધ મુનિ હોય તો એમના માટે પણ ઉપ્ય છે. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy