SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૮ પ્રશમરતિ અલબત્ત, આ વિષયમાં વિશેષ સ્પષ્ટતા મેળવવા માટે આગમ-ગ્રન્થનું અધ્યયન હોવું અનિવાર્ય છે. આગમ ગ્રન્થોના અધ્યયન સાથે આગમિક વાતોને એના સંદર્ભમાં સમજવાની સૂમ પ્રજ્ઞા હોવી જરૂરી છે. મોક્ષમાર્ગની આરાધનામાં શું સહાયક બને છે અને શું વિઘાતક બને છે-આનો નિર્ણય કરનારી સૂક્ષ્મ બુદ્ધિ હોય તો જ મનુષ્ય મોક્ષમાર્ગ પ્રગતિ સાધી શકે. કર્ણ અને અકથ્યનો વિચાર અનેક અપેક્ષાએ કરવાનો નિર્દેશ કરતા ગ્રન્થ કાર હવે તે અપેક્ષાઓ બતાવી રહ્યા છે. देशं कालं पुरुपमवस्थामुपधातशुद्धपरिणामान्। प्रसमीक्ष्य भवति कल्प्यं नैकान्तात् कल्प्यते कल्प्यम् ।।१४६।। અર્થ : દેશ, કાલ, પુષ્પ, અવસ્થા, ઉપઘાત અને શુદ્ધપરિણામની સમ્યગુ આલોચના કરીને કષ્ય કહ્યું છે. એકાન્ત કચ્છ કલ્પતું નથી. વિવેચન : ભિક્ષા, વસ્ત્ર, પાત્ર અને મકાન આદિના કષ્ણ-અકથ્યના વિષયમાં અહીં ગ્રન્થકાર મહાત્મા છે અપેક્ષાઓથી વિચારવાનું કહે છે. આપણે એક-એક અપેક્ષાનો અહીં વિચાર કરીશું. ૧. દેશ : એક દેશમાં એક વસ્તુ સાધુના માટે અકથ્ય હોય તે વસ્તુ બીજા દેશમાં કપ્ય બની શકે. અર્થાત્ સાધુ એ વસ્તુ ગ્રહણ કરી શકે. વર્તમાનકાલીન શ્રમના સંઘમાં આ અપેક્ષાએ વિચાર થતો નથી એટલે કે ગુજરાતમાં જે અકલ્પ ગણાતું હોય તે બંગાલ અને બિહારમાં પણ અકથ્ય જ ગણાય છે. પૂર્વના દેશોમાં જે અકથ્ય મનાતું હોય તે દક્ષિણના દેશોમાં પણ અકથ્ય મનાય છે. ૨. કાળ : સુકાળમાં જે વસ્તુ અકથ્ય ગણાતી હોય તે વસ્તુ દુષ્કાળમાં કપ્ય બની શકે છે. દુકાળમાં જ્યારે કથ્ય ભોજનનો અભાવ હોય ત્યારે અકથ્ય પણ કષ્ય બની શકે છે. વર્તમાનકાળમાં, આવા દુષ્કાળનો સંભવ નથી હોતો કારણ કે એક પ્રદેશમાં દુષ્કાળ પડે છે ત્યારે બીજા પ્રદેશોમાંથી તત્કાલ ધાન્યનો પુરવઠો પહોંચાડવામાં આવે છે. યાતાયાતનાં ઝડપી સાધન ઉપલબ્ધ હોવાથી કોઈ પ્રાન્ત કે રાજ્યની પ્રજાને ભૂખે મરવાનું પ્રાય: બનતું નથી. ૩. પુરુષ : પ્રાચીનકાળમાં રાજાઓ, મહામંત્રીઓ, શ્રેષ્ઠીઓ જ્યારે સંસારનો ત્યાગ કરી શ્રમણ બનતા હતા, તેમના માટે ગીતાર્થ ગુરુજનો, તેમની શારીરિક ક્ષમતાનો વિચાર કરી કમ્બ-અકથ્યનો નિર્ણય કરતા હતા. બીજાઓ માટે અકથ્ય વસ્તુ રાજર્ષિ જેવાઓ માટે કપ્ય બનતી હતી. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy