SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૦ પ્રશમરતિ વિવેચન : ‘હજુ મારે આ ભીષણ ભવનમાં ભટકવું પડશે? હજુ શું મારે આ સંસાર-દાવાનળમાં સળગવું પડશે? હજુ શું મારે આ સંસારના પાતાળકૂવામાં પુરાઈ રહેવું પડશે? હજુ શું મારે આ સંસાર-પિશાચના જડબામાં ચવાણું પડશે? ના, ના, હર્વે મારે ભટકવું નથી, સળગવું નથી....' સંસારપરિભ્રમણનો ભય હેય લાગી ગયો છે? ભયથી હૈયે ચીરાડા પડ્યા છે? તો તમારે એક જ ફામ કરવાનું છે, તમારા આત્માને બચાવી લેવાના છે....આત્માની સર્વાગીણ રક્ષા કરવાની છે...આજ સુધી આપણે આપણા જ આત્માની પરવા નથી કરી... આત્મા તરફ જોયું જ નથી! અનંત જન્મોથી વિષયો તરફ જ જોયા કર્યું છે... વિષયો અંગે જ વિચાર્યા કર્યું છે. આત્મા ઘોર ઉપેક્ષાનું પાત્ર બની ગયો છે.....સાવ વિસરાઈ ગયો છે... આપણે જઈએ હવે આપણા આત્માને. સાવ બેહોશ થઈને... સાનભાન ભૂલીને ચોપાટ પડેલો છે આત્મા સુધી એના મોંઢાને... કેવી દુર્ગધ આવી રહી છે? એણે ખૂબ ઠાંસી ઠાંસીને વિપયરસ પીધેલો છે....વિપયરસના તીવ્ર નશામાં એ ચકચૂર છે.... આવી કદર્થના કેમ થઈ છે આત્માની, એ જાણો છો? કારણ કે એને વિપર્યાસ થઈ ગયો છે વસ્તુદર્શનમાં! એની દૃષ્ટિમાં વિપર્યાસ થઈ ગયો છે. ગુણકારીને અવગુણકારી જુએ છે, અવગુણકારીને ગુણકારી જુએ છે. હિતકારીને અહિતકારી જુએ છે, અહિતકારીને હિતકારી જુએ છે....... માત્ર જુએ છે, એટલું જ નહીં, તે મુજબ આચરણ પણ કરે છે. અહિતકારીને સ્વીકારે છે હિતકારી સમજીને! દુઃખદાયીને અપનાવે છે સુખદાયી સમજીને! ગુણકારીને તિરસ્કારી કાઢે છે અવગુણકારી માનીને! હિતકારીની ઉપેક્ષા કરી નાંખે છે અહિતકારી માનીને! પાંચ ઇન્દ્રિયોના જે વિપર્યા હલાહલ ઝેરથી પણ વધુ વિધાતક છે, વધુ વિનાશક છે. તે વિષયોને મૂઢ આત્મા હિતકારી સમજીને, સુખકારી સમજીને ભોગવે છે....રાચીમાચીને ભોગવે છે. ધર્મનાં જે પવિત્ર અનુષ્ઠાના અમૃતથી પણ વધુ હિતકારી છે, સુખકારી છે. તે અનુષ્ઠાનોને દુઃખદાયી માનીને, નિરર્થક સમજીને ત્યજી દે છે! સંસારના રાગી-પી અને અજ્ઞાની સ્નેહીસ્વજનોનો સુખકારી સમજીને સંગ કરે છે. જ્યારે પરમકૃપાળુ પરમાત્માનાં, ઉપકારી સદ્ગઓનો અને સત્યપ્રેરણા આપનારા કલ્યાણમિત્રોનાં “અહિતકારી' સમજીને ત્યાગ કરે છે! For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy