SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચાચાર, ૧૯૧ કેવો અનર્થકારી વિપર્યાસ થઈ ગયો છે આત્માને! આત્માનો આ વિપર્યાસ દૂર કરવો અનિવાર્ય છે. વિપર્યાસ દૂર થશે ત્યારે જ એ વસ્તુતત્ત્વનું યથાર્થદર્શન કરી શકશે; ત્યારે જ એ હેયનો-ત્યાજ્યનો ત્યાગ કરશે અને ઉપાદેયનોસ્વીકાર્યને સ્વીકાર કરશે. દષ્ટિનો આ “વિપર્યાસ-દોષ” ગંભીર રોગ છે. કેન્સરના રોગ કરતાં પણ વધુ ખતરનાક રોગ છે. કેન્સર તો એક જીવનને ભરખી લે છે, જ્યારે આ વિપર્યાસ-રોગ અસંખ્ય જીવનની પરંપરાને ભરખી જાય છે. હા, આ રોગનિવારણનું આપધ નથી એમ ન માનતા, ઔષધ છે! ગ્રન્થકાર મહર્ષિએ એ આંધ બતાવ્યું છે એક ધર્મગ્રન્થનું! એક ધર્મગ્રન્થના અધ્યયનચિંતન અને પરિશીલનને ઔષધરૂપે બતાવ્યું છે! એ ગ્રન્થ છે “આચારાંગસૂત્ર.” જૈનશાસનની સ્થાપનાના પાયામાં રહેલું આ “આચાર' સૂત્રનું જ્ઞાન છે. તીર્થકર ભગવંત પાસેથી પુષ્પન્ને વા, વિખેરું વા, ઘુવે વ આ ત્રિપદીનું શ્રવણ કરીને, ગગધરો જે ‘દ્વાદશાંગી'ની રચના કરે છે, તે ‘દ્વાદશાંગી”નાં બાર શાસ્ત્રોમાં સર્વપ્રથમ શાસ્ત્ર હોય છે “આચાર! હા, દરેક તીર્થકરની, ધર્મતીર્થની સ્થાપનામાં, દરેક ગણધર સર્વપ્રથમ આ “આચાર” શાસ્ત્રની જ ૨ચના કરતા હોય છે... આ શાશ્વત્ નિયમ છે. વિષયરસના મદિરાપાનથી બેહોશ..... મતિ બની ગયેલા આત્માને હોશમાં લાવવા માટે આ “આચાર” ગ્રન્થનું તત્ત્વરસાયણ ખવડાવવું પડશે......ગ્રન્થનું તત્ત્વામૃત પિવડાવવું પડશે....સમજાવીને, પટાવીને પિવડાવવું પડશે...... તો જ “વિપર્યાસ'નો રોગ નિર્મળ થશે. એની દષ્ટિમાં પુનઃ જ્ઞાનજ્યોતિ પ્રગટશે. આ જીવનમાં બસ આ એક કામ કરી લઈએ-આત્મરક્ષાનું! આત્માને લાગુ પડેલા “વિપર્યાસ' રોગને નિર્મળ કરવાનું! પંચાયા? सम्यक्त्वज्ञानचारित्रतपोवीर्यात्मको जिन: प्रोक्तः । पञ्चविधोऽयं विधिवत् साध्वाचारः समनुगम्य: ।।११३।। અર્થ : તીર્થકરોએ સમ્યકૃત્વાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારરૂપ પાંચ પ્રકારના સાધ્વાચાર (આચારાંગના અથી) કહેલો છે તેન વિધિપૂર્વક જાણવા જાઈએ. વિવેચન : જ્યારે તીર્થકરો ધર્મતીર્થની સ્થાપના કરે છે, ત્યારે સર્વપ્રથમ તેઓ આચારમાર્ગનો ઉપદેશ આપે છે, અર્થાતુ પાંચ પ્રકારના આચારોનું વર્ણન For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy