SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મસાધકની ૧૩ વિશેષતાઓ અર્થનિર્ણય. જિનાજ્ઞાનો અર્થનિર્ણય કરી તેના ધ્યાનમાં પ્રવેશવાનું. હિંસા આદિ દોષોના નુકસાનોનો આત્મસાક્ષીએ નિર્ણય કરવાનો અને એના ધ્યાનમાં તન્મય બનવાનું. કર્મોના વિપાકોનું જ્ઞાન તમારી પાસે હોવું જ જોઈએ. એનો અર્થનિર્ણય કરી એમાં ધ્યાનસ્થ બનવાનું અને ચૌદ રાજલોકના સ્વરૂપનું ચિંતન કરતાં કરતાં એમાં લીન થઈ જવાનું. જો કે ધર્મધ્યાનની આ ચાર ભૂમિકાઓ વિશેષ કરીને ચિંતન-પ્રધાન છે, પરંતુ સાધકે ચિંતનમાંથી ધ્યાનમાં જવું જ જોઈએ. તો પછી એ શુક્લધ્યાનમાં ક્યારેક પ્રવેશી જાય. અત્યંત વિશુદ્ધ આશયવાળા આત્માને શુક્લધ્યાન લાધે છે. એના પણ ચાર પ્રકાર છે : (૧) પૃથકૃત્વ-વિતર્ક-વિચાર. (૨) અપૂથ ત્વ-સવિતર્ક અવિચાર (૩) સૂક્ષ્મક્રિયા-અનિવૃત્તિ અને (ક) સુપરતક્રિયા-અનિવૃત્તિ. સાધનાકાળની પૂર્વભૂમિકામાં રહેલા જીવાત્માએ ધર્મધ્યાનમાં પુનઃ પુનઃ જવાનો પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. આ રીતે, (૧) કમની મહાજાળને ભેદવા તત્પર (૨) સમ્યગુદર્શનની (૩) ચારિત્રવંત (૪) તપસ્વી (૫) સ્વાધ્યાયશીલ અને (૬) ધર્મધ્યાની મહાત્માના ચિત્તમાં એક ચિતા જાગે છે! એ ચિંતા પણ અપૂર્વ છે! અસંખ્ય ચિંતાઓને ચૂરનારી એ ચિંતા છે, એ ચિંતા શાની હોય છે – એ વાત ગ્રન્થકાર ચોસઠમા શ્લોકમાં બતાવવાના છે. પણ એવી. ચિંતા કોને જાગે છે, એ આત્માનાં લક્ષણો હજુ આપણે વિચારવાનાં છે. ૩. હિંસા-અસત્ય-પરધનહરણ-મૈથુન-મમત્વથી વિરકૃત : ૧. હિંસા એટલે પ્રાણવધ. પ્રમત્તત પ્રવ્યપરંપvi પ્રાઈવધ પ્રમાદથી ત્રસ અને સ્થાવર જીવોની હિંસાથી જે મહાત્મા વિરામ પામેલા હોય છે, તેમના ચિત્તમાં એક આત્મચિંતા જાગે છે. જે પ્રમાદથી હિંસા થાય છે તે પ્રમાદના આઠ પ્રકાર છે. ૧. અજ્ઞાન રે. સંશય ૩. વિપર્યય ૪. વૈષ ૫. સ્મૃતિભ્રશ ૬. યોગસ્પ્રણિધાન ૭. રાગ અને ૮. ધર્મના અનાદર. આ આઠ પ્રમાદોથી જેઓ મુક્ત હોય છે; મન, વચન અને કાયાથી મુક્ત હોય છે, તે અપ્રમત્ત કહેવાય છે. ૨. જેનું અસ્તિત્વ છે તેનો નિષેધ કરવો. જેનું અસ્તિત્વ નથી તેનું પ્રતિપાદન કરવું. જે પદાર્થ જેવો હોય એનાથી વિપરીત કથન કરવું અને પાપપ્રેરક વચન ૧૦. શુકુલધ્યાનનું વર્ણન આ જ ગ્રન્થના લોક નં. ૨પ૯ ના વિવેચનમાં કરવામાં આવશે. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy