SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશમરતિ સમજે. જ્યારે એને આ સૂત્રાર્થના મંથનમાંથી રહસ્યભૂત તત્ત્વો મળતાં જાય... એ “ધર્મકથા” દ્વારા યોગ્ય અને પાત્ર જીવોને એ તત્ત્વો વિવેકપૂર્વક આપવા માંડે. આ રીતે સ્વાધ્યાયની પાંચેય ભૂમિકાને આદરપૂર્વક આરાધે, વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા. દિવસ અને રાતના ૨૪ કલાકમાંથી પંદર કલાક અના આ પંચવિધ સ્વાધ્યાયમાં પસાર થાય. એ જે અપૂર્વ જ્ઞાનાનન્દ અનુભવે એનું વર્ણન શબ્દોમાં ન થઈ શકે. જ્ઞાન વિના ધ્યાન નહીં અને ધ્યાન વિના કેવળજ્ઞાન નહીં! મુનિજીવનમાં ધ્યાન અનિવાર્યરૂપે જોઈએ. આર્તધ્યાન અને રોદ્રધ્યાન ત્યાજ્ય છે. એ અશુભ ધ્યાન છે. એ અશુભ ધ્યાનથી બચવા માટે શુભધ્યાન હોવું જ જોઈએ. જો તમારી પાસે ધર્મધ્યાન નહીં હોય તો તમે આર્તધ્યાન-રૌદ્રધ્યાનમાં ચાલ્યા જ જવાના. | ધર્મધ્યાનના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે અર્થાત્ ધ્યાનમાં વિવિધતા માન્ય કરાયેલી છે. માનવ મન છે ને? એને વિવિધતા વિના નથી ચાલતું. જેમ મન વિવિધ અશુભ વિચારોમાં રમે છે તેમ જો એને શુભ વિચારોમાં જોડશો, શુભ ધ્યાનમાં જોડશો તો એ શુભ ધ્યાનની વિવિધતામાં રમશે. ધર્મધ્યાનના ચાર પ્રકાર આ રીતે છે : (૧) આજ્ઞાવિચય (૨) અપાયરિચય (૩) વિપાફવિચય (૪) સંસ્થાનવિચય. એક વાત નું ભૂલશો કે આ “ધ્યાન'ના પ્રકારો છે; વિચારોના પ્રકારો નથી. માત્ર વિચાર એ ધ્યાન નથી. મન જ્યારે કોઈ એક વિષય પર એકાગ્ર બની જાય છે, તન્મય બની જાય છે, ત્યારે એને ધ્યાન કહેવાય છે. અશુભ વિચાર જુદો અને અશુભ ધ્યાન જુદું. આ ભેદ બરાબર સમજી લેવો જોઈએ. એવી જ રીતે શુભ વિચાર જુદો અને શુભ ધ્યાન જુદું. સ્વાધ્યાયમાં શુભ વિચારો હોય. તે પછીની ભૂમિકા છે શુભ ધ્યાનની... (૧) જિનાજ્ઞાનું ધ્યાન. (૨) હિંસા-અસત્ય આદિ દોષોના નુકસાનનું ધ્યાન, (૩) પુણ્યકર્મ-પાપકર્મોના વિપાકોનું ધ્યાન, અને (૪) સમગ્ર ચૌદ રાજલોકનું ધ્યાન. આ ધ્યાન શરૂઆતમાં વિજયરૂપ હોય અર્થાતુ અનુચિંતનરૂપ હોય, અર્થનિર્ણયરૂપ હોય... ધીરે ધીરે એ એકાગ્ર ચિત્તરૂ પે બની જાય. 'વિવારંવનિર્ઝન આ જ ગ્રન્થકારે વિચય' શબ્દની પરિભાષા કરી છે ૯. ધર્મધ્યાનનું વિવેચન આ જ ગ્રન્થના લોક નં. ૨૪૬ થી ર૫૦ માં આપવામાં આવશે. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy