SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૩ મહોત્સવાનંતર - મહોત્સવ કર્યા | દત્ત્વા - દઈને. પછી. | નિશમ્યતાં - સાંભળો. કર્ણ - કાન. સ્વાહા - સ્વાહા. ભો ભો ભવ્યાઃ ! શુષુત વચનં પ્રસ્તુતં સર્વમેત ્, યે યાત્રાયાં ત્રિભુવન-ગુરો-રાર્હતા ભક્તિભાજઃ; તેષાં શાન્તિર્ભવતુ ભવતા-મર્હદાદિપ્રભાવા,દારોગ્યશ્રીકૃતિ-મતિકરી ક્લેશ વિધ્વંસહેતુઃ૪. ૧. અર્થ :- તીર્થંકરદેવનું સ્નાત્ર કરનાર શ્રાવકોમાંથી વિશિષ્ટ ગુણવાન્ શ્રાવક હોય તે ઉભો થઈને નીચે પ્રમાણે કહે છે-અહો ! આર્હત શાસનમાં રક્ત એવા ભવ્ય લોકો ! આ અવસર ઉચિત સર્વ વચન તમે સાંભળો. જે (તમો) ત્રણ ભુવનના ગુરુ (વીતરાગ)ની યાત્રા (જન્મ-મહોત્સવ)ને વિષે ભક્તિવડે યુક્ત છો તે તમોને અરિહંતાદિ પંચપરમેષ્ઠીના માહાત્મ્ય (પ્રસાદ) થકી આરોગ્યતા, લક્ષ્મી, સંતોષ અને વિશિષ્ટ બુદ્ધિને કરનારી તથા રાગ-દ્વેષાદિના નાશના કારણભૂત એવી (દુઃખ, પાપ અને ઉપસર્ગના ઉપશમરૂપ અથવા કલ્યાણરૂપ) શાન્તિ થાઓ. ૧. ભો ! ભો ! ભવ્યલોકાઃ ! ઇહ હિ ભરતૈરાવતવિદેહસંભવાનાં સમસ્તતીર્થ-કૃતાં જન્મન્યાસનપ્રકમ્પાનન્તર-મવધિના વિજ્ઞાય, સૌધર્માધિપતિઃ સુઘોષાઘષ્ટા-ચાલનાનન્તર સકલ-સુરાસુરેન્દ્રઃ સહ ૧. મુક્તિ ગમન યોગ્ય જીવો. ૨. અર્હત્ (વીતરાગ) છે દેવ જેના તે, એટલે અરિહંત દેવના ભક્તો. ૩. અવિઘાથી ઉત્પન્ન થયેલા કદાગ્રહ અથવા રાગદ્વેષાદિ કષાય. ૪. નપુંસકલિંગ અથવા સ્ત્રીલિંગ હોય તો પણ હેતુ શબ્દ પુલિંગમાં જ વપરાય છે.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy