SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ જો પઢાં જો અનિસુણઈ, તાણે કાંણો ય માણતુંગસ્સ / પાસો પાવં પસમેલ, સયલ-ભુવણ-ચ્ચિય-ચલણો | ૨૧ // અર્થ:- એ પ્રકારે મહાભયને હરનાર, ઉદાર, ભવ્યજનોને આનંદ કરનાર અને કલ્યાણની પરંપરાનું સ્થાન એવા પાર્શ્વજિનેન્દ્રના સંસ્તવને, રાજ્યભય, યક્ષ, રાક્ષસ, કુસ્વપ્ન, દુષ્ટ શકુન અને નક્ષત્ર-રાશિની પીડાઓને વિષે, બંને સંધ્યાએ, અરણ્યાદિ માર્ગમાં, ઉપસર્ગમાં તેમજ (ભયંકર) રાત્રિઓને વિષે; જે ભણે છે અને સાવધાનપણે સાંભળે છે તે બન્નેના અને કવિ માનતુંગસૂરિના પણ પાપને-સમસ્ત જગત વડે પૂજાયાં છે ચરણ જેનાં એવા પાર્શ્વનાથ ભગવાનું શાત કરો. નિવારણ કરો. ૧૯-૨૦-૨૧. ઉવસગ્ગતે કમઠા, - સુરંમિ, ઝાણાઓ જો ન સંચલિઓ // સુર-નર-કિન્નર-જુવઇહિં, સંયુઓ જયઉ પાસજિણો રર || અર્થ - કમઠાસુરે ઉપસર્ગ કર્યો છતે જે (ષજીવનિકાયના ૧. શ્રી પાર્શ્વપ્રભુ સાથે પૂર્વના દશભવથી કમઠને વૈર હતું. દશમે ભવે કમઠ તાપસ થઈ પંચાગ્નિ તપ કરતો હતો. તે વખતે તે અગ્નિ માંહેલું એક કાઇ ચીરાવી તેમાંથી બળતો સર્પ બતાવી પ્રભુએ તેની અજ્ઞાનતા જણાવી છતાં તે પોતાનું અપમાન થયું ગણી વિશેષ વેર મનમાં ચિંતવી ઘણો અજ્ઞાન તપ કરી મેઘમાલી દેવતા થયો. તેણે પૂર્વના વૈર યોગે પ્રભુ
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy