SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ નમિઊણ પણય સુરગણ-ચૂડામણિકિરણરંજિઅમુણિણ || ચલણજુઅલ મહા-ભય,પણાસણ સંથd વચ્છ |૧ | અર્થ -નમસ્કાર કરતા એવા દેવસમુદાયના મુકુટને વિષે રહેલ મણિઓના કિરણો વડે શોભાયમાન પાર્શ્વનાથ મુનિના ચરણયુગલને નમસ્કાર કરીને મોટા ભયોને વિશેષે નાશ કરનાર સંસ્તવને હું કરીશ. ૧. રોગભયહરમાહાભ્ય સડિય-કર-ચરણ-નહ-મુહ, નિબુટ્ટનાસા વિવન્ન-લાયન્ના | કુટ્ટ-મહારોગાનલ-ફુલિંગ-નિદઢ-સળંગા ર // ૧. મહ-ઉત્સવ અને અભય-નિર્ભયતા બન્ને વિષે પણ અવશ્ય અસણકરવા યોગ્ય અર્થાતુ ઉત્સવ અને નિર્ભયપણાને વિષે અવશ્ય સ્મરણ કરવા યોગ્ય સંસ્વ આવો અર્થ પણ થાય છે; મોટા ભય ૧૪ વર્ણવ્યા છે. પણ કેટલેક ઠેકાણે રોગજલજલણ૦ ઈત્યાદિ આઠ ભય પણ વર્ણવ્યા છે. માટે આ સ્તોત્રમાં સ્તોત્ર કર્તા આઠ ભય નિવારણ લક્ષણ પ્રભુના અતિશયનું વર્ણન બે-બે ગાથા વડે કરે છે, પ્રથમ ઉદ્દેશ અને પછી નિર્દેશ હોય છે પણ એવી શૈલી આ સ્તોત્રકાર આચાર્યે રાખી નથી. કર્તાએ પ્રથમ આઠ ભયનિવારક અતિશય વર્ણવીને પાછળથી રોગજલ૦ ઈત્યાદિ ગાથા વડે પોતાનો ઉદ્દેશ જણાવ્યો છે. ભક્તામરસ્તોત્રમાં પણ આચાર્ય મહારાજાએ આવી શૈલી રાખી છે. ૨. વિવર્ણલાવણ્યા એટલે વિરૂપ લાવણ્યવાળા અર્થાત્ કદરૂપ એવો અર્થ પણ થાય છે.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy