SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ અર્થ :- અપરાધ કરનારા માણસ ઉપર પણ દયાવડે નમેલી કીકીઓવાળાં અને (તેથી દયાવડે જ) જરા અશ્રુથી ભીંજાયેલાં શ્રી વીરજિનનાં નેત્રોનું કલ્યાણ થાઓ. ૨૭. જ્યતિ વિજિતાન્યતેજાઃ, સુરાસુરાધીશસેવિતઃ શ્રીમાન્ । વિમલસ્ત્રાસવિરહિતત્રિભુવનચૂડામણિર્ભગવાન્ ॥ ૨૮ ॥ અર્થ :- વિશેષ પ્રકારે અન્યના તેજને જીતનારા, દેવ અને દાનવોના સ્વામી વડે સેવાયેલા, કેવળજ્ઞાનરૂપ લક્ષ્મીવાળા, નિર્મળ, વિશેષ પ્રકારે ભયથી રહિત અને ત્રણ ભુવનમાં મુકુટ સમાન ભગવંત (વીરસ્વામી) જયવંતા વર્તે છે. ૨૮. *વીરઃ સર્વસુરાસુરેન્દ્રમહિતો, વીર બુધાઃ સંશ્રિતાઃ, વીરેણાભિહતઃ સ્વકર્મનિચયો વીરાય નિત્યે નમઃ ।। વીરાત્તીર્થમિર્દ પ્રવૃત્તમતુલં, વીરસ્ય ઘોર તપો, વીરે શ્રીકૃતિ કીર્તિ કાન્તિનિચયઃ શ્રીવીર ! ભદ્રં દિશ॥ ૨૯ ॥ મારાથી આ જીવને કાંઈ પણ ઉપકાર થયો નહિ, પ્રભુને વાંદનાર અને ઉપસર્ગ ક૨ના૨ દ૨ેકને પ્રભુના દર્શનથી સમ્યક્ત્વ પ્રાપ્ત થતું હતું પણ સંગમ અભવ્ય હતો તેથી તેને પ્રાપ્ત થયું નહિ એવા અપરાધી ઉ૫૨ પણ જેમણે કરૂણાભાવ દર્શાવ્યો તે પ્રભુની અત્યંત કરૂણા સમજવી. * આ શ્લોકમાં વીર શબ્દને જુદી જુદી આઠ વિભક્તિઓ લગાડીને શ્રી મહાવીર દેવની સ્તુતિ કરેલ છે.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy