SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ અર્થ :- જેમનું દર્શન (સમ્યક્ત્વ) સંસારરૂપી રોગથી પીડાએલા જીવોને વૈદ્ય સમાન છે અને જે મોક્ષરૂપી લક્ષ્મીના સ્વામી છે. એવા શ્રી શ્રેયાંસનાથ ભગવાન તમારા કલ્યાણના અર્થે થાઓ. ૧૩. વિશ્વોપકારકીભૂત તીર્થંકૃત્કર્મનિર્મિતિઃ ॥ સુરાસુરનરેઃ પૂજ્યો, વાસુ પૂજ્યઃ પુનાતુ વઃ ॥ ૧૪ || અર્થ :- જેમણે સર્વ વિશ્વને ઉપકાર કરનારા એવા તીર્થંકર નામકર્મને નિષ્પન્ન કરેલું છે અને જે દેવ, અસુર અને મનુષ્યો વડે પૂજવા લાયક છે, એવા શ્રી વાસુપૂજ્યસ્વામી તમોને પવિત્ર કરો. ૧૪. - વિમલસ્વામિનો વાચઃ, કતકક્ષોદસોદરાઃ ।। જયંતિ ત્રિજગચ્ચેતો-જલનૈર્મલ્યહેતવઃ ॥ ૧૫ ॥ અર્થ :- `કતક ફળના ચૂર્ણ જેવી, ત્રણ જગતના ચિત્તરૂપી જળને નિર્મળ કરવામાં કારણરૂપ શ્રીવિમલસ્વામીની વાણીઓ જયવંતી વર્તે છે. ૧૫. શબ્દાર્થ સ્વયંભૂરમણ-સ્વયંભૂરમણ સમુદ્રની. | વારિણા - પાણી વડે. સ્પદ્ધિ - સ્પર્ધા કરે એવા. કરુણારસ - કરુણારસરૂપ. અનંતિજમ્ - અનંતનાથજિન. અનંતાં - જેનો અંત નથી એવી. ૧. ગમે તેવા મલિન જળમાં કતકચૂર્ણ નાખ્યું હોય તો જળને સ્વચ્છ કરે છે, તેમ પ્રભુની વાણી જગત્ના ચિત્તને નિર્મળ કરે છે.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy