SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ ચૈત્યવંદન, સ્તવન જયવીયરાય, કાઉસ્સગ્ન થાય પર્યત વિધિપૂર્વક કરવું. તેમાં અરિહંત ચેઈયાણંથી ઉભા થઈને વિધિ કરવી. તેજ પ્રમાણે ખમાસમણ દઈ શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન, સ્તવન, જયવીયરાય, કાઉસ્સગ્ગ, થોય પર્યત વિધિપૂર્વક કરવું. પછી સામાયિક પારવાની વિધિની રીતિએ સામાયિક પારવું. - તા.ક. ગુરુમહારાજ હોય ત્યારે તેઓ જેમ આદેશ માગે છે-તેઓ કાઉસ્સગ્ન પારે ત્યારે આપણે પારીએ છીએ, કંઈ સૂત્ર કહેવું હોય ત્યારે તેઓની પાસે કહેવાનો આદેશ માગીએ છીએ; તેજ પ્રકારે તેમને વિરહ કરેમિ ભંતે ઉચ્ચરાવનાર જ્ઞાનવૃદ્ધ, તપોવૃદ્ધ, વ્રતવૃદ્ધ, પ્રત્યે પણ પ્રતિક્રમણ કરતી વખતે વિનયથી વર્તવું યોગ્ય છે. પ૬. પચ્ચકખાણ પારવાનો વિધિ ૧ પ્રથમ “ઇરિયાવહિ” પડિક્કમી, યાવત “જગચિંતામણી' ચૈત્યવંદન “જયવીરાય” સુધી કરવું. પછી “મન્ડ જિણાણ”ની સઝાય કહી મુહપત્તિ પડિલેહવી. પછી ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પચ્ચકખાણ પારું? યથાશક્તિ, ઈચ્છામિ ઈચ્છા સંદિસહ ભગવન્! પચ્ચખાણ પાયું; “તહત્તિ” એમ કહી જમણો હાથ કટાસણા અથવા ચરવળા ઉપર સ્થાપી, એક “નવકાર” ગણી, પચ્ચકખાણ કર્યું હોય, તેનું નામ કહી તે પારવું. તે આ પ્રમાણે “ઉગ્ગએ સૂરે નમુક્કારસહિએ પોરિસિં, સાઢપોરિસિં, ગંઠિસહિઅં, મુક્રિસહિઅં પચ્ચખાણ કર્યું. ચઉવિહાર, આયંબિલ, નીવિ, એકાસણું, બેસણું, પચ્ચકખાણ કર્યું. તિવિહાર, પચ્ચકખાણ ફાસિકં પાલિએ, સોહિએ તીરિએ, કિટ્ટિએ, આરાહિઅં, જે ચ ન આરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં. એમ કહી એક નવકાર ગણવો.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy