SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ છે જ કે પ્રયત્ન-નિરૂપણ છે. આ જ કારણે જ છે * कारिकावली : प्रवृत्तिश्च निवृत्तिश्च तथा जीवनकारणम् ॥१४९॥ एवं प्रयत्नत्रैविध्यं तान्त्रिकैः परिकीर्तितम् । चिकीर्षा कृतिसाध्येष्टसाधनत्वमतिस्तथा ॥१५०॥ उपादानस्य चाध्यक्षं प्रवृत्तौ जनकं भवेत् । * मुक्तावली : प्रयतं निरूपयति - प्रवृत्तिश्चेति । प्रवृत्तिनिवृत्तिजीवनयोनि* यत्नभेदात् प्रयत्नस्त्रिविध इत्यर्थः । चिकीर्धेत्यादि । मधुविषसम्पृक्तान्न भोजनादौ बलवदनिष्टानुबन्धित्वज्ञानेन चिकीर्षाभावान्न प्रवृत्तिरिति भावः । कृतिसाध्यताज्ञानादिवत् बलवदनिष्टाननुबन्धित्वज्ञानमपि स्वतन्त्रान्वय* व्यतिरेकाभ्यां प्रवृत्तौ कारणमित्यपि वदन्ति । મુક્તાવલી : (૧૭) પ્રયત્ન-નિરૂપણ પ્રયત્ન ત્રણ પ્રકારે છે : (૧) પ્રવૃત્તિરૂપ (૨) છે નિવૃત્તિરૂપ અને (૩) જીવનયોનિરૂપ. (૧) પ્રવૃત્તિરૂપ પ્રયત્ન : પ્રવૃત્તિ પ્રત્યે (૧) ચિકીર્ષા (૨) કૃતિસાધ્યતાનું જ્ઞાન (૩) શું એ ઈષ્ટસાધનતાનું જ્ઞાન અને (૪) સમવાયિકારણનું પ્રત્યક્ષ એ ચાર કારણ બને છે અને આ ચિકીર્ષા પ્રત્યે બલવદ્વિષ્ટસાધનતાનું જ્ઞાન પ્રતિબંધક બને છે તે આપણે પૂર્વે જોઈ ગયા છે જ છીએ, અર્થાત્ બલવદનિદાનનુબંધિનું જ્ઞાન હોય તો ચિકીર્ષા થાય. (૧) હવે વિષમિશ્રિત દૂધપાકના ભોજનમાં કૃતિસાધ્યતાનું જ્ઞાન છે, તેનામાં રહેલી મધુરતાના કારણે તેમાં ઈષ્ટસાધનતાનું જ્ઞાન પણ છે તથા તેના ઉપાદાનનું પ્રત્યક્ષ પણ છે, પરંતુ ત્યાં બલવદનિદાનનુબન્ધિનું જ્ઞાન નથી તેથી ત્યાં ચિકર્ષા પણ નથી. આમ ત્રણ કારણ હાજર હોવા છતાં ચિકીર્ષા રૂપ ચોથું કારણ હાજર ન હોવાથી તેવા વિષમિશ્રિત દૂધપાકના ભોજનમાં પ્રવૃત્તિ થતી નથી. જો (૨) ચન્દ્રમંડલાનયન-પ્રવૃત્તિમાં ઈષ્ટસાધનતા-જ્ઞાન, ઉપાદાન-પ્રત્યક્ષત્વ અને શું ચિકીર્ષા હોવા છતાં ત્યાં કૃતિસાધ્યતાનું જ્ઞાન નથી તેથી ચન્દ્રમંડલાનયન પ્રવૃત્તિ થતી નથી. (૩) અગ્નિપ્રવેશાદિમાં ઈષ્ટસાધનતાનું જ્ઞાન નથી, બાકીના સર્વે કારણો હાજર આ છે છતાં ઈષ્ટસાધનતા-જ્ઞાન ન હોવાથી અગ્નિપ્રવેશાદિમાં પ્રવૃત્તિ થતી નથી. ક ન્યાસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૫ર) કિ
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy