SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ છે (૪) ચણકાદિ નિર્માણ કાર્યમાં બાકીના ત્રણ કારણ હાજર હોવા છતાં ઉપાદાનનું જ પ્રત્યક્ષ નથી, તેથી યણુકાદિ નિર્માણમાં આપણી પ્રવૃત્તિ થતી નથી. જ કેટલાક કહે છે કે બલવદનિખાનનુબંધિ જ્ઞાનને પણ પ્રવૃત્તિ પ્રત્યે સ્વતંત્ર કારણ માનવું જોઈએ, કેમકે તેના અન્વય-વ્યતિરેક મળે જ છે. જ્યારે બલવદનિખાનનુબંધિત આ જ્ઞાન હોય ત્યારે પ્રવૃત્તિ (ચિકીર્ષા વ્યાપાર દ્વારા) થાય છે અને જ્યારે તે જ્ઞાન નથી , ન હોતું ત્યારે (ચિકીષ ન થવાથી) પ્રવૃત્તિ પણ નથી થતી. તેથી જેમ તમે સાધ્યતાજ્ઞાનના ના સ્વતંત્ર અન્વય-વ્યતિરેક મળતાં હોવાથી સાધ્યતાજ્ઞાનને પણ પ્રવૃત્તિ પ્રત્યે કારણ માનો જ છો તેમ તમારે બલવદનિષ્ઠાનનુબંધિ જ્ઞાનને પણ સ્વતંત્ર કારણ માનવું જોઈએ. વળી તે છે. વ્યાપારથી વ્યાપારી કદાપિ અન્યથાસિદ્ધ બનતો નથી, તેથી ચિકીર્ષાને કારણ માનવાથી છે બલવદનિખાનનુબંધિ જ્ઞાન અન્યથાસિદ્ધ બની જશે તેમ માનવાની જરૂર નથી. આ * मुक्तावली : कार्यताज्ञानं प्रवर्तकमिति गुरवः । तथाहि-ज्ञानस्य प्रवृत्तौ - जननीयायां चिकीर्षातिरिक्तं नापेक्षितमस्ति, सा च कृतिसाध्यताज्ञानसाध्या,* * इच्छायाः स्वप्रकारप्रकारकधीसाध्यत्वनियमात् । चिकीर्षा हि कृति साध्यत्वप्रकारिकेच्छा, तत्र कृतिसाध्यत्वं प्रकार: तत्प्रकारकं ज्ञानं चिकीर्षायां * तद्द्वारा च प्रवृत्तौ हेतुः, न त्विष्टसाधनताज्ञानं तत्र हेतुः, कृत्यसाध्येऽपि चन्द्रमण्डलानयनादौ प्रवृत्त्यापत्तेः । ननु कृत्यसाध्यताज्ञानं प्रतिबन्धकमिति चेत् ? न, तदभावापेक्षया कृतिसाध्यताज्ञानस्य लघुत्वात् । न च द्वयोरेव જ હેતુત્વ, રવાન્ ! મુક્તાવલી : હવે અહીં મુક્તાવલીકાર પ્રાભાકર(મીમાંસકો)નો મત રજૂ કરે છે. મા તેમના મતે ઈષ્ટસાધનતા-જ્ઞાન પ્રવૃત્તિ પ્રત્યે કારણ નથી પણ માત્ર કૃતિસાધ્યતા-જ્ઞાન જ (કાર્યતાજ્ઞાન) જ કારણ છે. નો પ્રભાકર : પ્રવૃત્તિ પ્રત્યે કૃતિસાધ્યતા-જ્ઞાન (કાર્યતાજ્ઞાન) જ કારણ છે. જે કાર્યતાજ્ઞાન ચિકીષ રૂપ વ્યાપાર દ્વારા પ્રવૃત્તિનું જનક છે. કૃતિસાધ્યતાનું જ્ઞાન થાય છે છે તો તે ચિકીર્ષાને ઉત્પન્ન કરે અને તે દ્વારા પ્રવૃત્તિને પણ કરે. જેમ દંડ ભ્રમિને ઉત્પન્ન છે કરવા દ્વારા ઘટને કરે છે તેમ. પ્રવૃત્તિ પ્રત્યે કારણભૂત કૃતિસાધ્યતાનું જ્ઞાન પ્રવૃત્તિ કરવા માટે ચિકીષ રૂપ છે જ છે ક ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૫) જ
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy