SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૪૯૩ ૪૯૪ વાણીનો સિદ્ધાંત તે ? અક્ષરે ય બોલવાનો બંધ કરી દેજો. આ તેટલા માટે તો અમે ‘વ્યવસ્થિત'નું જ્ઞાન આપ્યું છે. તે વ્યવસ્થિતનું જ્ઞાન વગર, બોલ્યા વગર માણસ બેસી ના રહે. કારણ કે પ્યાલા ભાંગી ગયા નોકરનાં હાથે એટલે બોલ્યા વગર મુંઓ રહે જ નહીં ને ! કેમ ભાંગી નાખ્યા ? તારા હાથ ભાંગલા છે કે આમ તેમ છે ?!” પણ હવે પ્યાલા ફૂટી ગયા તો ફોડનાર કોણ છે. એ ‘વ્યવસ્થિત'નું જ્ઞાન આપ્યું છે એટલે કશું બોલવાનું જ નથી ને ! અને પાછું ‘વ્યવસ્થિત’ જ થયું. પ્રશ્નકર્તા : હા, થયું તે ‘વ્યવસ્થિત' ! દાદાશ્રી : હા, અવ્યવસ્થિત થતું જ નથી. અવ્યવસ્થિત દેખાય છે તે પણ ‘વ્યવસ્થિત છે. એટલે વાત જ સમજવાની જરૂર છે. તમારે વ્યવસ્થિતનાં જ્ઞાનથી ચાલે છે કે નથી ચાલતું ? બધું વ્યવસ્થિત જ ચાલે ને ? કે ‘વહુ મને આમ કેમ કરે છે ?” વહુને એમ થાય કે ‘આ ધણી જોડે મારાથી આમ કેમ થાય છે ?” એને પણ દુઃખ થાય, પણ શું થાય ? પછી મેં તેમને પૂછયું કે ‘વહુ તમને ખોળી લાવી હતી કે તમે વહુને ખોળી લાવ્યા હતા !” ત્યારે એ કહે કે, “ખોળી લાવ્યો હતો.ત્યારે એનો શો દોષ બિચારીનો ? લઈ આવ્યા પછી અવળું નીકળે. એમાં તે શું કરે, ક્યાં જાય પછી ? જેટલું બને એટલે આત્માનું જ કર કર કરવા જેવું છે. અને આ સંસારનું તો કશું આઘુંપાછું થાય એવું નથી. સંસારમાં તો તમારે ‘ચંદુભાઈને કહેવું ‘કામ કર્યું જાવ.' પછી આઘુંપાછું થાય તો ય વઢશો નહીં, કોઈને લઢશો નહીં ને કામ કર્યે જાવ, કહીએ. સંસારમાં વઢવા લઢવાની વાત જ નથી. એ તો જેને રોગ થયો હોય ને, તે બધું વઢે લડ્યા કરે. આ ગાયો ભેંસો કંઈ રોજ લઢે છે કે કોઈ દહાડો ?! કો'ક દહાડો બહુ ત્યારે, બાકી બધાં જોડે ને જોડે જાય છે, આવે છે. સામસામી કચ કચ નહીં, ભાંજગડ નહીં. વઢવાની તો વાત જ ના હોય. વઢવું એટલે જ અહંકાર, ખુલ્લો અહંકાર. એને ગાંડો અહંકાર કહેવામાં આવે છે. મનમાં એમ માને કે ‘મારા વગર ચાલશે નહીં. આ બધું બગડી જશે.” એ અહંકારને ગાંડો અહંકાર કહેવાય. એટલે વઢવા કરવાની વાત આવે ત્યાં બંધ રાખવું. હવે તમારે વઢવા જેવું કંઈ રહ્યું છે જ ક્યાં છે ?! ઊલટું વઢવામાં તો આપણને બોજો લાગે. માથું પાકી જાય નહીં ? વઢવાનું ગમે ખરું કોઈને ? શોખ હોય ? પ્રશ્નકર્તા : કોઈને શોખ નહીં. દાદાશ્રી : કંઈ તમને એક આખો દહાડો લઢવા બેસાડે તો ? પ્રશ્નકર્તા: મગજ ખલાસ થઈ જાય. દાદાશ્રી : ના ફાવે, નહીં ? કશું જગતમાં કોઈ એક અક્ષરે ય કોઈને કશો કહેવું નહીં. કહેવું એ રોગ છે એક જાતનો ! કહેવાનું થાય તો એ રોગ મોટામાં મોટો ! બધાં પોતપોતાનો હિસાબ લઈને આવેલા છે. આ ડખો કરવાની જરૂર શું પ્રશ્નકર્તા : બાકી વ્યવસ્થિત ચાલે છે પણ કો'ક વખત ડખો થઈ જાય. દાદાશ્રી : થઈ જાય. પણ ખબર પડી જાય કે આ ભૂલ થઈ ? પ્રશ્નકર્તા : હા, ભૂલ થઈ, ખબર પડી જાય. દાદાશ્રી : કો'ક વખત પતંગ છે તે ગુલાટ ખાય, તો બહુ ત્યારે આપણે દોરો ખેંચી લેવાનો. દોરો આપણાં હાથમાં છે. અને જગતમાં લોકોના હાથમાં દોરી નથી, લોકોની ગુલાંટો ખાયા કરે છે. હવે શું થાય છે ? માટે અક્ષરે ય બોલવાનું બંધ કરી દેવું. બોલવું એને ભગવાને ભયંકર રોગ કહ્યો છે. હા. બોલે તો, જ્ઞાની એકલા બોલે તે ય એમની વાણી કેવી હોય ? પરેચ્છાનુસારી હોય. હા, બીજાની ઈચ્છાઓનાં આધારે એ બોલે છે. બીજાની ઈચ્છાઓ પૂર્ણ થવા માટે એ બોલે છે. બાકી એમને શા હારું બોલવું પડે તે ?! અને એમની વાણી સ્યાદ્વાદ વાણી, બહુ સાંભળ સાંભળ કરવાનું મન થાય. અને પેલી તો સાંભળે ત્યાંથી જ મહીં આત્મા હાલી જાય, બધું હાલી
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy