SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ વાણીનો સિદ્ધાંત વાણીનો સિદ્ધાંત ૨૪૧ ઇંગ્લિશ ? દાદાશ્રી : અંગ્રેજી બહુ ફાવે નહીં. થોડું ઘણું બોલું. કોઈ આવે ત્યારે બોલું. એ થોડું ઘણું બોલાય. બાકી એકદમ ભાષા ઉપર કંઈ કાબુ નહીં ને ! પ્રશ્નકર્તા : આપ ઇંગ્લિશ વાર્તાલાપ કરી શકો ? દાદાશ્રી : બહુ થોડું. આ બીજા બધા જોડેવાળા છે, એ વાતો કરે. પ્રશ્નકર્તા : આપ ઇંગ્લિશ તો ઘણું સારું બોલતા હતા. દાદાશ્રી : પણ મારે કલીયર જોઈએ. મને ભૂલવાળું વાક્ય બોલવાની ટેવ નથી. એટલે નથી બોલાતું ને લોકો તો ફેંક્ય રાખે બસ. પ્રશ્નકર્તા : ‘ભૂલવાળું વાક્ય બોલવાની ટેવ નથી મને.” આ બહુ ઊંચું વાક્ય કીધું. દાદાશ્રી : પણ મને ભૂલવાળું બોલવાનું ગમે જ નહીં ને ! તેથી નથી બોલતો. મને લાગે કે આ કંઈ ભૂલ થાય એવું લાગે છે, તેથી નથી બોલતો. પ્રશ્નકર્તા : પ્રેક્ટિસ ઈઝ એ બેસ્ટ ટિચર. દાદાશ્રી : પણ એ તો ફેંક ફેંક કરીએ તો પ્રેક્ટિસ પડે. એક જણે મને કહેલું ય ખરું કે ફેંક ફેંક કરોને, પ્રેક્ટિસ પડી જશે. મેં કહ્યું, “ના, ફેંક ફેંક કરવાનો ધંધો મારો નથી.’ પ્રશ્નકર્તા : આટલા વખતનાં બધાં વાક્યો છે, પણ કોઈ દહાડો એક વાક્ય એવું ના હોય કે જે ભૂલવાળું હોય. દાદાશ્રી : ભૂલવાળું કેમ બોલાય ? બોલાય જ કેવી રીતે ? ભૂલવાળું વાક્ય નીકળે જ નહીં. કાળ મુજબ ભાષા ! પ્રશ્નકર્તા : આ જૈન શબ્દ અનાદિ-અનંત રહેશે ? દાદાશ્રી: નહીં. એ તો જે વખતે જે ભાષા ચાલે છે, તે જ ભાષામાં તે હોય. કેટલીક વખત તો બધું સામાન્ય પબ્લીક હઉ સંસ્કૃત બોલે છે. પ્રાકૃત હોતું જ નથી. મૂળ ભાષા સંસ્કૃત છે. આ પ્રાકૃત ને બધા ઊભા થયેલા છે. સમય ને સંજોગોનાં આધારે. માગધી કહો કે અર્ધ માગધી કહો, બધી પ્રાકૃત ભાષા છે ! મૂળ જે છે તે ભાષા સંસ્કૃત છે. અને સંસ્કૃતનો અર્થ શું ? ઊંચામાં ઊંચી સંસ્કારોની ભાષા. સંસ્કારોની ભાષા ! બીજી કોઈ ભાષા આવી સંસ્કારી અમથા ય લોકો સંસ્કૃત ઋચા બોલેને, તે મહીં પરિણામ બદલાઈ જાય. રણમાં જીતે તે શૂર ! વાણી એ તો પ્રાકૃત છે, એમાં આત્માને શું લેવાદેવા ? વાણીના સંયોગ ઉપર તો સંસ્કૃત બોલતા આવડ્યું ફર્સ્ટક્લાસ, તેથી આત્માને શું લેવા દેવા ? તે પેલા અખા આગળ લોકો આવીને સંસ્કૃત બોલવા માંડ્યા. ‘તને શું આવડે છે ? લે, બોલ જોઈએ.' ત્યારે અખાએ કહ્યું, ‘ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર.” બધા મૂરખ બની ગયા ભાષાના ! તરત બોલી ગયો ને ! રણમાં તું નહીં જીતે, આત્માની બાબતમાં તું જીતીશ નહીં, તો માર ખાઈને મરી જઈશ. એટલે આપણે ત્યાં પહેલેથી ભાષાના ચૂરેચૂરા ઊડાડી દીધેલા. ભાષાને ચૂર કરનારા નીકળેલાં આપણે ત્યાં. પણ હપૂરું ચૂરેચૂરા તો ના કરાય ને ? થોડું ઘણું તો રાખવું જોઈએને ? ભાષા શીખવાની જરૂર ખરી કે નહીં ? પ્રશ્નકર્તા ઃ હા, ભાષા શીખવાની પણ જરૂર. દાદાશ્રી : એમ ! તો શું શીખ્યા પછી કશું શીખવું ના પડે ! પ્રશ્નકર્તા : પોતાના આત્મા વિશેનું. દાદાશ્રી : હા. આત્માનું શીખ્યા, આત્મા જાણી લીધો એટલે જાણવાનું કશું બાકી રહ્યું નહીં અને આત્મા ના જાણ્યો ત્યાં સુધી બધા સાધનો કરેલા નક્કામાં ગયા. પછી શાસ્ત્ર શીખ્યો હોય કે ત્યાગ લીધાં
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy