SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ વાણીનો સિદ્ધાંત વાણીનો સિદ્ધાંત ૨૩૯ તો કામ થાય. કળજુગની અસર થાય નહીં અને મોક્ષે લઈ જાય એવાં શાસ્ત્રો હવે લખાશે. આ ‘સત્ય બોલો, દયા રાખો, શાંતિ રાખો” એ શાસ્ત્રોની વાતો તો જૂની દવા થઈ ગઈ ! હવે તો નવી દવા જોઈએ. આપણે તો નિશ્ચય સાચું બોલવાનો હોવો જોઈએ. પછી ભૂલ થાય તો આપણે ‘ચંદુલાલ” પાસે પ્રતિક્રમણ કરાવવું પડે. સુધી અવલંબન સ્વરૂપે છે. દાદાશ્રી : એ વાણીનું અવલંબન ઠેઠ સુધી. પ્રશ્નકર્તા: આ વાણી છે એની બધી કડીઓ હોય છે. કડી એક એક મણકા જેવી હોય છે. એ જ્યારે પૂરી થાય ત્યારે લાગે કે આ વાત બધી આમ પરફેક્ટ હતી. દાદાશ્રી : આની વાત જ જુદી ને ! જે વાણીએ સંસારનાં કારખાનાં ચાલે, છોકરાં પૈણાવે ને મોક્ષનો માર્ગ ચાલે, બેઉ સાથે ચાલ્યા કરે. જ્ઞાનીઓની વાણી નયમાં ઉદાસીન વર્તે છે કે આ નિશ્ચય નહીં કે આ વ્યવહાર નહીં. એમ ને એમ એ વાણી બોલે, તેમ એ નિશ્ચય ને વ્યવહારમાં એઝેક્ટ પરિણામ પામે. ગોખ ગોખ ના કરવું પડે કે આ નિશ્ચય આવ્યું ને આ વ્યવહાર આવ્યું. આ જે વાણી નીકળે છે ને, તે રિયલ-રિલેટિવ છે. આ જે સ્પિચ નીકળે છે ને તે રિયલ-રિલેટિવ છે. બન્નેનો સાંધો મેળવી આપે છે. - જ્યારે સંપૂર્ણ અપરિગ્રહી થાય, ત્યારે માણસની છેલ્લામાં છેલ્લી વાણી નીકળે. આ જગતની વાણી તો સાપેક્ષ વાણી કહેવાય અને આ સાપેક્ષ-નિરપક્ષ વાણી છે. આ અમારા એક એક શબ્દમાં અનંતા અનંતા શાસ્ત્રો રહ્યાં છે ! આ સમજે અને પાંસરો હંડ્યો તો કામ જ કાઢી નાખે !! એકાવનારી થઈ જવાય એવું આ વિજ્ઞાન છે ! લાખો અવતાર કપાઈ જશે !! આ વિજ્ઞાનથી તો રાગે ય ઊડી જાય ને દ્વેષે ય ઊડી જાય ને વીતરાગ થઈ જવાય. અગુરુલઘુ સ્વભાવનો થઈ જાય એટલે આ વિજ્ઞાનનો જેટલો લાભ ઉઠાવાય તેટલો ઓછો છે. દાદાવાણી સર્જે તવા શાસ્ત્રો !!! અને હું જે બોલું છું, એ તો જ્ઞાન છે. પણ જેની બુદ્ધિ જરા સમ્યફ થયેલી હોય, સમ્યક્ એટલે સારી સુગંધીવાળી, તો તરત મારું જ્ઞાન સમજાય એવું છે. જ્ઞાન બુદ્ધિથી સમજાય ખરું, પણ બુદ્ધિથી બોલી શકાય નહીં. બુદ્ધિથી આ વિજ્ઞાન બોલી શકાય નહીં. વિજ્ઞાન એટલે ચૈતન્ય જ્ઞાન જેવું. એની મેળે જ કામ કર્યા કરે. ભૂલવાળું કેમ બોલાય ! જ્ઞાનમાં નીકળેલો એકેય શબ્દ ફેરવવો નથી પડયો. ૧૯૫૮થી નીકળ્યા છે પણ ફેરવવો નહિ પડ્યો. ફેરવવાનો વિચારે ય નથી આવ્યો. ત્યાર પછી આપણે તાવી જોવું ને, પાછું ! આપણે તાવી તો જોઈએ ને કે કરેકટ છે કે કેમ છે ? આપણને શું અધિકાર ફોરકાસ્ટ કરવાનો ? પણ તાવી જોઈએ એટલે ખબર પડે. અમારી વાણી, અમારું વર્તન અને વિનય મનોહર હોય, મનનું હરણ કરે એવું હોય. અમેરિકામાં તો અમને લોકો શું કહી જતા ? “સો બ્યુટીફુલ, સો બ્યુટીફુલ’ ! પ્રશ્નકર્તા : અમેરિકામાં કઈ ભાષા બોલતા તમે ! ગુજરાતી કે “જગત ઉદય અવતાર, દેશના તે શ્રુતજ્ઞાન, Dાવાદ જ્ઞાન-દાન, સર્વમાન્ય પરમાણ.” જગતનો ઉદય સારો હોય ત્યારે ‘જ્ઞાની પુરુષ' પ્રગટ થઈ જાય અને એમની ‘દેશના' જ “શ્રુતજ્ઞાન’ છે. એમના એક જ વાક્યમાં શાસ્ત્રોનાં શાસ્ત્રો આખાં આવી જાય ! શાસ્ત્રમાં લખ્યું છે કે સત્ય બોલો. ત્યારે લોકો કહે છે કે, અમારાથી સત્ય બોલાતું નથી. માટે હવે કોઈ કળજુગી શાસ્ત્રો આપે
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy