SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) નિરાલંબ ૩૨૫ પ્રશ્નકર્તા : ભગવાન ભક્તને આધીન એ રીતે ? દાદાશ્રી : ના, ભક્તને આધીન છે જ નહીં. એ તો જ્ઞાની પુરુષ, જેને વશ થયા છે તેનાં આધીન. એટલે જ્ઞાનીને ભક્ત બોલ્યા-લખ્યા છે એ લોકોએ. ત્યારે આપણા લોકો આપણાં ભગતોને, આ બાવાઓને.. આ ઠંડતા-ચાલતા ભગતોને જ્ઞાની માની બેઠાં છે. ભગત કહે તો આ લોકો ઝાલી પાડે બંધાય, અલ્યા, ઝોળી લઇને અનાજ ખોળવા જાય તો ય મળતું નથી અને તારે આધીન ભગવાન થઇ ગયા, મૂઆ ?! પ્રશ્નકર્તા : ભગવાન એટલે શુદ્ધાત્માને ? દાદાશ્રી : ના, શુદ્ધાત્મા તો ભગવાન છે જ નહીં. પણ ભગવાન એટલે શું કહેવા માંગે છે કે ચૌદ લોકનો નાથ શુદ્ધાત્મા અને પરમાત્મામાં ફેર, એમ ભગવાન અને શુદ્ધાત્મામાં ફેર. શુદ્ધાત્મા શબ્દ સ્વરૂપ છે. એ ભગવાને ખરાં પણ એ શબ્દ સ્વરૂપ ભગવાન. પેલા ભગવાન તો નિરાલંબ ભગવાન. ચૌદ લોકનો નાથ, હું કહું છું ને ! તેની વાત જ જુદી ને ! શુદ્ધાત્મા કહેતા હોય તો આપણા બધા મહાત્માઓ કહે, મને આધીન થઈ ગયા, પણ નિરાલંબ આત્મા આધીન થવું જોઇએ. શબ્દથી તમે દેખી શકો. પણ મૂળ સ્વરૂપે ના દેખી શકો, નિરાલંબ સ્વરૂપને ના દેખી શકો. આ શુદ્ધાત્મા એ તમારું મૂળ સ્વરૂપ અત્યારે શબ્દથી છે. અમે નિરાલંબ સ્વરૂપને પકડેલું હોય એટલે જગતની કોઈ ચીજ અમને અડે નહીં, નડેય નહીં. એટલે એ સ્થિતિમાં અમે બેઠેલાં, નિરાલંબ. એ સ્થિતિ એટલે અમને તો કોઈ જગ્યાએ મતભેદ ના હોય, કશું જ ના ધ્યેય ને ! કારણ કે કોઈ અવલંબન જ અડે નહિ ને ! અમારી દશા નિરાલંબ !! એટલે અમે સમજી શકીએ કે જો અમે અત્યારે આ દશાએ પણ નિરાલંબ રહી શકીએ છીએ, તો વીતરાગો કેવાં નિરાલંબ રહેતાં હશે ? પ્રશ્નકર્તા : આપ તો નિરાલંબી છો. દાદાશ્રી : નિરાલંબી તો મહીં આત્મા, પણ આ ટેકો તો ખરોને, આત્મા નિરાલંબી. નિરાલંબી થયા તેથી ભગવાન વશ થઈ ગયા, નહીં તો વશ થાય જ નહીં ને ! કોઈ પણ ચીજનું અવલંબન છે, ત્યાં સુધી વશ થાય નહીં ભગવાન. બધામાં ‘હું જ જુએ તે સ્પીડાલી ! ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' પણ એ આત્મા ખરો, પણ એ તો મોબારુ કહેવાય. હજુ તો પ્રવેશ કર્યો મોક્ષમાર્ગમાં. મુક્તિના માર્ગમાં પ્રવેશ થઈ ગયો. હવે તમારો પ્રવેશ ત્યાં પૂર્ણ થશે જ્યારે, નિરાલંબ આત્મા ભેગો થશે ત્યારે. માત્ર વાતને સમજો... પ્રશ્નકર્તા: હવે શુદ્ધાત્મા થયા પછી બીજાં કોઈ અવલંબનની જરૂર ખરી ? આત્મા જાણવા માટે ખાલી વાતને જ સમજવાની છે, કરવાનું કંઈ જ નથી. ‘સાહેબ, શું વાત છે ? હકીક્ત, મૂળમાં કહી દોને મને.' ત્યારે કહે, “આ છે અને આમ છે, બોલ. આ વિનાશી છે અને આ વિનાશીનાં સગા માત્ર બધાંય વિનાશી. વિનાશીની જરૂરિયાત માત્ર વિનાશી અને જેને જરૂરિયાત નથી, જે નિરાલંબ છે તે હું છું.” બોલ. હવે ‘આત્મા’ સમજી લે ને, એક ફેરો. જયાં કોઈ દહાડો દુ:ખ અડે નહીં એ ‘તું'. કોઈ પણ સ્થિતિ એવી નથી આ જગતની કે એમાં તને દુ:ખ અડે. છે તે ફાંસીની સજા થાય તો ય તને અડે નહીં એ ‘તું અને એ ‘તું” ને પહોંચ્યો તો પછી રહ્યું નહીં કંઈ ! તે પ્રગટ મેં જોયેલો છે અને હું તે તમારામાં દેખી શકું છું. તમને દેખાડ્યા છે ય ખરાં. પણ તમને જેટલું તમારી ભાષામાં હોય એટલું સમજાય. દાદાશ્રી : ના, આ બધા અવલંબન છોડાવીને શુદ્ધાત્માનું અવલંબન આપ્યું. આ અવલંબનમાં બધું આવી જાય ને પેલા અવલંબન છૂટી જાય. પછી આ અવલંબન જે રહ્યું, તે એની મેળે જ છૂટી જાય. આ શુદ્ધાત્મા શબ્દાવલંબન છે. તે શબ્દ ય એની મેળે છૂટી જઈ અને નિરાલંબ થઈ જવાશે.
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy