SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) પ્રશ્નકર્તા : તો પછીથી એ જ્યારે અવલંબન સારામાં સારું શ્રેષ્ઠ આપે કહ્યું તો પછી બીજી ક્રિયાઓ ધારો કે ન થાય તો વાંધો ખરો ? દાદાશ્રી : ના. આ તો કશું ન થાય તેનો વાંધો નહીં અને થાય તેમાં તન્મયાકાર થઈને છે તે ઘસડાવું નહીં, મહીં જોયા કરીએ. ૩૨૬ કેટલાંય અવલંબન છોડતો છોડતો જશે ત્યારે નિરાલંબ આત્મા ઉત્પન્ન(પ્રાપ્ત) થાય છે. જેને કેવળ આત્મા કહેવાય છે. તે ત્યાં આગળ વાત પૂર્ણાહુતિ થાય છે. કેટલા સ્ટેશન જાય ત્યારે પછી છેલ્લું સ્ટેશન નિરાલંબનું આવે. અને તે તમને આવી જ જવાનું છે. ઉતાવળ કરવાની કંઇ જરૂર નથી. અને ઉતાવળ કરવી હોય તો ‘હું’ ‘હું’ જોતાં જોતાં ચાલજોને બધાંમાં, મૈં હું, મૈં હું, મૈં હું.’ મોઢામાં, મનમાં, ચિત્તમાં. પરાવલંબત - આલંબત - તિરાલંબત ! પ્રશ્નકર્તા : અવલંબન તો જોઈતું નથી, પણ એવી સ્ટેજ આવે કેવી રીતે ? દાદાશ્રી : એ સ્ટેજ તમારે જો જોઈતું હોય તો આવશે, નિરાલંબ સ્ટેજ. અવલંબન એ જ પરતંત્રતા. એ હોય તો આપણે છીએ, એનાં આધારે આપણે જીવવાનું એનું નામ અવલંબન કહેવાય. અવલંબન હોવું ન ઘટે. અને હોય તો ય અમુક કાળ પૂરતું હોય. આપણને કહે કે ભઈ, આટલા કાળે આ પૂરું થઈ જશે. આ અવલંબન, તે ક્યાં સુધી કે હમણે અહીંથી સ્ટેશન પર જવું હોય, તો એટલો રસ્તો આ ચાલવો પડશે. એટલે આપણે ચાલીએ, વાંધો નહીં. તો તમને આ શુદ્ધાત્મા આલંબન છે તો એ નિરાલંબ થવાનું. બાકી સંપૂર્ણ નિરાલંબ ના થાય ત્યાં સુધી કૃષ્ણ ભગવાનનો માર્ગ સમજ્યા નથી, મહાવીરનો માર્ગ જાણ્યો નથી. ક્યાં એ વીતરાગોનું વિજ્ઞાન અને ક્યાં આ કળાઓ બધી જીવનની ! આ લોકોના તો અવલંબીત જીવન નથી, પરાવલંબી જીવન છે. અવલંબનવાળું જીવન તો સારું કહેવાય, આ તો પરાવલંબી જીવન છે. તમે જોયેલું આવું પરાવલંબી જીવન કોઈ દહાડો ? નિરાલંબ ૩૨૭ પ્રશ્નકર્તા : દુનિયામાં બહાર બધું પરાવલંબી જીવન જ છે. પારકાં પર આધાર રાખીને જીવન જીવવાનું. દાદાશ્રી : પણ તમે જોયેલું કોઈ દા'ડો ? પ્રશ્નકર્તા : આપની પાસે આવ્યા પહેલાં એ જ જીવનમાં હતાં. દાદાશ્રી : તો મજા આવતી'તી સારી ? પ્રશ્નકર્તા : આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ભરપૂર રહેતું'તું. દાદાશ્રી : આર્તધ્યાન-રૌદ્રધ્યાન બંધ થઈ જાય એ પરાવલંબન છૂટ્યું કહેવાય એને. પરાવલંબન પછી સમ્યક્ અવલંબન રહ્યું. સમ્યક્ જે અમુક કાળે પોતે પોતાની મેળે ખલાસ થઈ જાય ને નિરાલંબ થઈ જાય. અવલંબન વગરનું જીવન હોવું જોઈએ, નિરાલંબ જીવન. આ તો કહેશે, પથારી હોય તો જ ઊંઘ આવે, પવન હોય તો જ ઊંઘ આવે, એવું કશું અવલંબન ના હોવું જોઈએ. ઊંઘને આવવું હોય તો આવે, નહીં તો મારી જાગૃતિ કંઈ જતી રહી નથી. એ જાગૃતિ જતી રહે તો પછી એનાં વગર ના ફાવે. પણ એ જાગૃતિ છે ને, ત્યારે ઊંઘને કહેવું, તારે ના આવવું હોય તો ના આવીશ. નિરાલંબ એ છેલ્લી વાત, એથી આગળ કોઈ વાત નથી. આલંબનથી પરતંત્ર થયો. એટલે નિરાલંબ, સ્વતંત્ર થવું, ભગવાન પણ ઉપરી નહીં. કોઈ અવલંબનનાં આધારે આપણે જીવીએ છીએ. માટે ભગવાન ઉપરી છે અને આ જ્ઞાન પછી તમે નિરાલંબ થયા. ભગવાન નિરાલંબ, એક જ જાતિનાં થયા, જાતિ એક થઈ. પેલો જાતિ ફેર હતો. દેહતાં આલંબતો ! નિરાલંબ એટલે બધી સ્વતંત્રતા હોય, એ નિરાલંબપણું હોય ત્યાં આગળ શાનું અવલંબન થાય ! અને શરીરનો સ્વભાવ શું છે કે ઊઘાડે પગે ચાલે ત્યારે ઉનાળામાં ઊઘાડે પગે ચાલી શકે એવું તળિયું થઈ જાય. તાપમાં ફરે એને તાપના જેવું બોડી થઈ જાય અને પંખા નીચે રહે ત્યારે એને તેના જેવું થઈ જાય. એટલે તમે જેવું કરો એવું થઈ જશે. અને પછી તમે પંખો
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy