SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ નોકર્મ ૩૦૫ દાદાશ્રી : એમને ય નોકર્મ કહેવાય, પણ નોકર્મ એમને ‘હું કરું છું' માટે ઊગે એવા છે અને આપણને ‘હું નથી કરતો ને વ્યવસ્થિત કરે છે’ એટલે ઊગવાના નથી. એટલે સંસાર બંધ થઈ ગયો. કૉઝિઝ બંધ થઈ ગયા. એટલે પડી ગયા. આધાર આપે છે ત્યાં સુધી કર્મ છે. પોતે જો આધાર ના આપે તો કોઈ નામ દેનાર નથી. જે કરે છે એને કરે છે કહીએ, તો આપણને કશો વાંધો છે નહીં. નથી કરતો ને ‘હું કરું' કહે છે તો બંધાશે. તેથી તો પેલા નરસિંહ મહેતાએ કહ્યું ને કે “હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા.” ૩૦૬ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) ચિઢાઈ જતા હતા અને આજેય ચિઢાઈ જાય છે. પણ આપણે ભાવકર્મ ઊડી ગયા છે, નોકર્મ રહ્યા છે ફક્ત. અને નોકર્મના બે ભાગ પડ્યા. તમારે ચારિત્ર મોહનીય અને પેલાને તો મોહનીય હોય, સંપૂર્ણ મોહનીય. એટલે દર્શનમોહ અને ચારિત્રમોહ બન્ને ય હોય, એટલે મોહનીય હોય. તમારે દર્શનમોહ ગયો. એ શું કહેવા માંગે છે કે આ છે તે ચારિત્રમોહવાળા છે અને પેલા સાચા મોહવાળા છે. સાચા મોહવાળા છે અને બીજ ઉગશે અને આ આમને નહીં ઉગે. કર્મ ખરાં પણ નોકર્મ. પ્રશ્નકર્તા : તો પેલા મોહવાળાને પણ નોકર્મ ? પ્રશ્નકર્તા : દાદા, જે આધાર આપતા'તા, એ જ જ્ઞાન વખતે આપના ચરણમાં મૂકી દીધો. દાદાશ્રી : આધાર આપનારો હતો ને તે મૂકી દીધો, કે આ તમને બધો સોંપ્યો સાહેબ. એ આધાર આપનાર હતા, તે એ સોંપ્યું. ચારિત્રમોહ બધાંય નોકર્મ ! પ્રશ્નકર્તા : આ જે ચારિત્રમોહમાં જે વસ્તુ છે એ બધી નોકર્મ ? દાદાશ્રી : ચારિત્રમોહના બીજા બધાં કર્મ છે એ બધાં નોકર્મ. જેને લોક કહે છે, “આ ભઈ બદલાયા નથી. એવા ને એવાં છે.” એને ભગવાને નોકર્મ કહ્યાં છે. અને નોકર્મ એટલે ભોગવવા પડે તે બધા. દાદાશ્રી : હા, એમનેય નોકર્મ પણ ઉગશે અને આ ઉગશે નહીં. આ બધો વર્તન મોહ છે ને, તે બધા નોકર્મ છે. જો તું મોહવાળો હોય તો આનો જવાબદાર છું આ કર્મનો અને મોહ વગરનો હોય તો આનો જવાબદાર નથી તું. આ આટલી બધી ઝીણવટ શી રીતે સમજાય ? માણસનું ગજું ય શું? તે આ યાદેય રાખવાનું આખું શું ગજું ? અક્રમ માર્ગેઃ ક્રમિક માર્ગે ! પ્રશ્નકર્તા : એ નોકર્મ એટલે આ ડિસ્ચાર્જ જે બધું કહીએ છે તે ? દાદાશ્રી : એ જ, એ ડિસ્ચાર્જ. પ્રશ્નકર્તા : ડિસ્ચાર્જ કરતી વખતે ચાર્જ ના થાય, પછી કોઈક વાર પ્રશ્નકર્તા : ઘણી વખત બહારવાળા પૂછે છે કે આ તમારા મહાત્માઓમાં કંઈ ફરક નથી દેખાતો. તો ? દાદાશ્રી : ફેરફાર થતો દેખાતો નથી, એવા ને એવાં દેખાય. લોકો તો ફેરફાર માંગે છે. પ્રશ્નકર્તા : બાહ્ય ફેરફાર માંગે છે. દાદાશ્રી : બાહ્ય, બીજું શું ? બીજું તો આવડે નહીંને જોતાં ! બીજું આવડ્યું હોત તો કામ ના થઈ જાત ? આપણા મહાત્માઓને શું કહે લોકો, કે દાદા પાસે જ્ઞાન લીધું પણ હજુ એવા ને એવાં જ છે. બહાર તો પહેલાંય દાદાશ્રી : એવું છે કે, આ ડિસ્ચાર્જ એ ક્રમિકનો શબ્દ નથી. પ્રશ્નકર્તા : હા, એ અક્રમનો છે. દાદાશ્રી : આ આપણે તો ગુસ્સો કરે, ચિઢાય છે એ બધુંય નોકર્મમાં આવી ગયું. આપણું બધું ડિસ્ચાર્જ કર્મ. બાકી ક્રમિકમાં નોકર્મ તો જુદું પાડવું
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy