SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૧ ૨૩૬ માંડીને તીર્થકરો સુધીની એ જ અજાયબી છે. આજ્ઞા આપવી એ પુરુષાર્થ ! આપ્તવાણી-૧૧ ૨૩૫ પ્રતિબંધ છે. જ્ઞાનીની આજ્ઞા ભવમાં, સંસારમાં જવા જ ના દે. પ્રશ્નકર્તા : હા. કૃપા મળી જાય, ત્યારે વ્યવસ્થિતમાં ફેરફાર થયો કહેવાય કે નહીં ? દાદાશ્રી : એ તો વ્યવસ્થિતને હિસાબે નહીં. તે આજ્ઞા એ તો આખું ભવમાં જવાનું આડું પ્રતિબંધ જ છે આ. એમાં વચનબળ હોય છે. પ્રશ્નકર્તા : બરાબર, વચનબળ એ વાત સાચી છે. પણ પેલી ચાર્જ થયેલી બેટરીઓ હોય, એ બેટરી તો ડીસ્ચાર્જ થયા જ કરેને, એમાં કેવી રીતે ફેરફાર થાય ? માલિકી વગરની વાણી જગતમાં હોઈ શકે નહિ. બધું જ તોડી નાખે, પણ એણે જ્ઞાનીને ખુશ કરતાં આવડવા જોઈએ, રાજી કરતાં આવડવાં જોઈએ. બધું ભસ્મીભૂત કરી નાંખે. જો એક કલાકમાં આટલું બધું ભસ્મીભૂત થાય છે. લાખો અવતાર જેટલું, તો પછી બીજું શું ના કરી શકે ? કર્તાભાવ નથી. આ માલિકી વગરની વાણી હોઈ શકે નહીં અને માલિકી વગરની વાણીને કોઈએ હાથ ના દેવો જોઈએ કે આમ ન બને, એવું. ખરેખર આટલો આ અપવાદ નથી. પણ આ વસ્તુસ્થિતિ છે, પછી હિસાબ કાઢવો હોય તો એ ય વ્યવસ્થિત, એ ય વ્યવસ્થિત, એ ય વ્યવસ્થિત, એ ય વ્યવસ્થિત, કાઢીને પછી નીકળે. પણ એ એનો લાભ ના મળે જેવો જોઈએ એવો. દાદાશ્રી : આ આજ્ઞા તો બહુ કામ કરે છે. આજ્ઞા તો એક ફેરો ઓચિંતી આપી દેને, તો ય કામ કરી નાખે. એટલું વચનબળ હોય છે એમને. પ્રશ્નકર્તા : એટલે વચનબળથી ફેરફાર થાયને ? દાદાશ્રી : હા. કારણ કે જેને ફેરફાર કરવાની ઈચ્છા નથી કોઈ જાતની ! એટલે વચનબળથી કામ થાય ! પ્રશ્નકર્તા: હવે એ ફેરફાર વ્યવસ્થિતમાં છે. માટે આવું નિમિત્ત બન્યું, કે પછી આ વ્યવસ્થિત આખું બદલી શકાયું? દાદાશ્રી : હા. બધું વ્યવસ્થિત ફેરફાર થઈ શકે. પ્રશ્નકર્તા : એમ નહીં. વ્યવસ્થિતમાં હતું જ તો જ જ્ઞાની પુરુષે આજ્ઞા આપી ? દાદાશ્રી : ના. એ એવું નહીં. આમ ફેરફાર થાય. વ્યવસ્થિત જુદી વસ્તુ છે. વ્યવસ્થિત એટલે થયા વગર રહે જ નહીં વસ્તુ. આ તો ફેરફાર થાય. ના થવાનું હોય તો ય થાય. વ્યવસ્થિતમાં ના હોય તો ય થાય. પ્રશ્નકર્તા : વ્યવસ્થિતમાં ના હોય તો પણ થાય ? દાદાશ્રી : થાય. એ જ તીર્થકરોની અજાયબી છે ને ? જ્ઞાનીથી અને આ વ્યવસ્થિત એટલે શું ? અવસ્થિત એટલે કાર્ય અને વ્યવસ્થિત એટલે કાર્યપરિણામ. પરિણામ એટલે આપણે શું કહેવા માંગીએ ? પરિણામ અવશ્ય ભોગવવા પડે. હવે પરિણામમાં ય છે તે તમને, પુરુષાર્થ થયો છે તે અમુક પરિણામ તમારાથી પણ બદલી શકાય છે. પણ અમુક, બધા ના બદલી શકાય. આ તમે અહીં આગળ જ્ઞાનમાં રહો છો ને એ બધી આજ્ઞામાં રહો છો ને આ વિધિઓ કરો છો, એનાથી ઘણાં પરિણામ બદલાઈ જાય છે. પણ મોટાં મોટાં અમુક વસ્તુ નહીં બદલાય અને તે ય ઢીલાં થઈ જાય બધાં. નહીં તો આ બધી મોકળાશ મળે જ નહીં ને ? માણસને કેવી રીતે મોકળાશ મળે ? ગઈ કાલે આટલાં બધાં કર્મો હતા અને આજે એકદમ હળવા થઈ ગયાં. ગઈ કાલે કેટલા બધા કર્મો હતાં ? કે વસ્તુ કશું યાદ જ ન્હોતું રહેતું. જાગૃતિ જ ન્હોતી. તે આ કંઈ ઓચિંતુ બની જાય છે ? પ્રશ્નકર્તા : આ જે બન્યું એ પણ વ્યવસ્થિત. દાદાશ્રી : ના. એ છે કે આપણે બુદ્ધિ ના લડાવીએ ને, તો એ આપણને આમ સમજાય એવું છે કે ભઈ, આ બન્યું તે વ્યવસ્થિત, ફલાણું
SR No.008835
Book TitleAptavani 11 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages155
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy