SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ આપ્તવાણી-૧૧ દાદાશ્રી : કૃપા ઉતરે, એમ ને એમ ના ઉતરે, એ કંઈ પૈસાથી ઉતરે છે? કે એવું તેવું કશું નહિ, રોજ સેવા કરે તેથી ઊતરે? એવું કશું નહિ. પરમ વિનય કંઈ જુએ, કોઈ જગ્યાએ, તો કૃપા ઉતરી જાય ! પ્રશ્નકર્તા : તો એનાથી પછી વાણીમાં ફેરફાર થાય. તો એવું વર્તનમાં ય ફેરફાર થાય પછી ? દાદાશ્રી : વર્તનમાં ફેરફાર ના થાય. વર્તન તો સાવ એ તો રૂપકમાં જ આવી ગયું. પ્રશ્નકર્તા : એટલે વાણીમાં ફેરફાર થાય તો મનમાં વિચારમાં ફેરફાર થાય ? દાદાશ્રી : હા, મનમાં ફેરફાર થાય, બધું ફેરફાર થાય. જ્ઞાતીની વિશેષ આજ્ઞા ! આપ્તવાણી-૧૧ ૨૩૭ તે ય વ્યવસ્થિત. પણ આ એક વસ્તુ સમજવા જેવી છે. બીજી બાબતમાં તમે શોધખોળ કરો તેનો વાંધો નહિ, કે આમ વ્યવસ્થિત હોવું જોઈએ, આમ હોવું જોઈએ. પણ ‘આ’ એકલામાં આપણે બંધ રાખવું. કારણ કે માલિકી વગરની વાણી હોતી નથી. અમે આ વાણીના માલિક થયા નથી કોઈ દહાડો ય, હવે આ વાણીને ખસેડવા જતાં મહાન સંઘર્ષ ઊભો થાય એવો છે, એ જોખમ છે. એટલે આપણે બધાને ના પાડીએ છીએ કે ‘જો જો ભઈ, આમ ના થવું જોઈએ.’ એ તો પછી એ લોકો એમ કરવા માંડ્યા કે ‘ભઈ, એવું એવું ગોઠવાયેલું જ હશે. દાદા, તમારું તે.” કહ્યું, ‘ના, એવું એવું ના માનશો. આ બાબતમાં જે તે સેપરેટ વસ્તુ માનજો !” વ્યવસ્થિત, વ્યવસ્થિત જ છે. પણ જ્ઞાની પુરુષને બાદ કરતાં, જ્ઞાની પુરુષનું ય વ્યવસ્થિત વ્યવસ્થિત જ છે. કારણ કે જ્ઞાની પુરુષને બીજા કોઈના માટે આજ્ઞા આપે છે તે એમનો પોતાનો પુરુષાર્થ હોય. તો એ ફેરફાર થાય. નહિ તો ફેરફાર ના થાય. જ્ઞાની પોતે પુરુષ તરીકે કર્તા હોવાથી પુરુષાર્થસહિત છે. પ્રશ્નકર્તા એટલે તો પછી પ્રકૃતિ ય ચેન્જ થાય કે નહિ, દાદા ? દાદાશ્રી : પુરુષાર્થ હોય તો બધું કોઈ પણ કરી શકે. પ્રશ્નકર્તા: બધી વસ્તુ ચેન્જ થઈ જાય. દાદાશ્રી : પુરુષાર્થ બધું કરી શકે. જ્યાં સુધી પુરુષાર્થ નથી ત્યાં સુધી એ સ્ત્રી પણ નથી. હા, નાન્યતર જાતિ છે ! એટલે કશું થાય નહિ. પ્રશ્નકર્તા : બીજા બધામાં એક્કેક્ટ વ્યવસ્થિત છે તે વ્યવસ્થિત અને આમાં વ્યવસ્થિત બદલી શકાય ? દાદાશ્રી : હા, એ જ્ઞાની પુરુષ એકલા કરી શકે. વચનબળ હોય, પુરુષાર્થ હોય. પણ કો'કને જ થાય, બધાને ના થાય, કૃપા ઉતરવી સહેલી વસ્તુ નથી ! પ્રશ્નકર્તા : સામાની એવી તૈયારી હોવી જોઈએ. પ્રશ્નકર્તા : પણ આ વ્યવસ્થિત તો વ્યવસ્થિત જ ને, બધે સરખું જ એ કામ કરે ને ? દાદાશ્રી : ના, વ્યવસ્થિતને તો આજ્ઞા ના હોય. વ્યવસ્થિતમાં આજ્ઞા ના હોય. આજ્ઞા એ તો વ્યવસ્થિતને હઉ તોડી નાખે. વ્યવસ્થિતને ફ્રેક્ટર કરી નાખે એનું નામ આજ્ઞા. અમારું વચનબળ, આજ્ઞાબળથી બધું વ્યવસ્થિત ઉડી જાય. પ્રશ્નકર્તા : એ કઈ આજ્ઞા ? દાદાશ્રી : અમે જે આજ્ઞા આપીએ છીએ. તમને અમે આપીએ નહીં. પ્રશ્નકર્તા : આ પાંચ આજ્ઞા. દાદાશ્રી : આ પાંચ આજ્ઞા એ જુદી વસ્તુ છે. બીજી સ્પેશીયલ આજ્ઞા આપીએ.
SR No.008835
Book TitleAptavani 11 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages155
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy