SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ [૬] વિશ્વકોર્ટમાંથી તિર્દોષ છૂટકારો ક્યારે ? આપણાથી કોઈને કિંચિત્માત્ર દુ:ખ થાય, એટલે કોર્ટમાં પાછો કેસ ચાલુ રહ્યો ! જ્યાં સુધી કોર્ટમાં ઝઘડા છે ત્યાં સુધી છૂટે નહીં. આ કોર્ટના ઝઘડામાં આવેલા લોકો છે. હવે કોર્ટના ઝઘડા મટાડવા હોય તો આપણને કોઈએ ગાળો દીધી હોય તેને છોડી દેવાની અને આપણાથી કોઈને ગાળ દેવાય નહીં. કારણ કે જો આપણે દાવો માંડીએ તોય પાછો કેસ ચાલુ રહે ! આપણે ફોજદારી કરીએ એટલે પાછો વકીલ ખોળવા જવું પડે. હવે આપણે અહીંથી છૂટા થઈ જવું છે, અહીં ગમતું નથી. માટે આપણે રસ્તો કરવાનો, બધું છોડી દેવાનું ! કોઈને કિંચિત્માત્ર દુ:ખ થાય તો કોઈ જીવ મોક્ષે જઈ શકે નહીં. પછી એ સાધુ મહારાજ હોય કે ગમે તે હોય. એકલા શિષ્યને જ દુઃખ થતું હોય તોય મહારાજને અહીં અટકી રહેવું પડે, ચાલે જ નહીં ! જો કે અજ્ઞાની તો બધાંને દુઃખ જ દેતો હોય છે. દુઃખ ના દેતો હોય તોય મહીં ભાવ દુ:ખના જ વર્ત્યા કરે. ‘અજ્ઞાનતા છે એ જ હિંસા છે અને જ્ઞાન એ અહિંસક ભાવ છે.' કોઈને દુઃખ દેવાની ઇચ્છા તને થતી નથી ને હવે ? પ્રશ્નકર્તા : કોઈ વાર દેવાઈ જાય. ૪૪ દાદાશ્રી : દુ:ખ દેવાઈ જાય તો શું કરો ? પ્રશ્નકર્તા ઃ પ્રતિક્રમણ. આપ્તવાણી-૬ દાદાશ્રી : પ્રતિક્રમણ કર્યું એટલે પછી કોર્ટમાં કેસ નહીં ચાલવાનો. ‘ભઈ, તારી માફી માગીએ છીએ.’ એમ કરીને નિકાલ કરી નાખ્યો. અમારાથી કોઈને સહેજેય દુઃખ થાય એવું નીકળે જ નહીં. સામો તો ગમે તેવાં ગાંડાં કાઢે, એને તો કંઈ પડેલી જ નથી ને ? જેને છૂટવું હોય તેને જ પડેલી છે ને ? એટલે જો દોષ ના થતા હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર જ નથી. પ્રતિક્રમણ તો તમારે દોષ થઈ જાય તો કરજો. સામો કહે કે ‘સાહેબ, દોષ ના જ થાય, એટલી બધી મારી શક્તિ નથી. દોષ તો થઈ જાય છે.’ તો તો આપણે કહીએ કે શક્તિ ના હોય તો પ્રતિક્રમણ કરજો.’ કોઈ ગમે તેટલું ગાંડું બોલે, તે ઘડીએ આપણે જવાબ આપીએ, પછી તે ગમે તેટલો સુંદર હોય પણ સહેજેય સ્પંદન ફેંકાઈ જાય તોય ના ચાલે. સામાને બધું જ બોલવાની છૂટ છે. એ સ્વતંત્ર છે; અત્યારે પેલાં છોકરાં ઢેખાળા નાખે તો, તેમાં એ સ્વતંત્ર નથી ? પોલીસવાળો જ્યાં સુધી આંતરે નહીં, ત્યાં સુધી સ્વતંત્ર જ છે. સામો જીવ તો ગમે તે ધારે તે કરે. વાંકો ફરે ને વેર રાખે તો તો લાખ અવતાર સુધી મોક્ષે ના જવા દે ! એટલા માટે તો અમે કહીએ છીએ કે “ચેતતા રહેજો. વાંકો મળે તો જેમ તેમ કરીને, ભાઈસાહેબ કરીને પણ છૂટી જજો ! આ જગતથી છૂટવા જેવું છે.’’ દુઃખ દીધાતાં પ્રતિસ્પંદત આ જગતમાં તમે કોઈને દુઃખ દેશો, તો તેનો પડઘો તમને પડ્યા વગર રહેશે નહીં. સ્ત્રી-પુરુષે છૂટાછેડા લીધા પછી પુરુષ ફરી પૈણ્યો તેમ છતાંય પેલી સ્ત્રીને દુઃખ રહ્યા કરે. તો તેના પડઘા એ પુરુષને પડ્યા વગર રહે જ નહીં અને એ હિસાબ પાછો ચૂકવવો પડશે. પ્રશ્નકર્તા : જરા વિગતથી ફોડ પાડો ને ! દાદાશ્રી : આ શું કહેવા માગીએ છીએ કે જ્યાં સુધી તમારા નિમિત્તે
SR No.008828
Book TitleAptavani 05 06
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy