SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ | મનપર્યવશાન ૧ ( પાંચમું પ્રકરણ ///////////////////// મન:પર્યવજ્ઞાન zzzzzzzzzzzzzzzzzzzzzzz oooooooooo Goooooooooooooooooooooooooooooooo મન:પર્યવજ્ઞાનના અધિકારી :| १ से किं तं मणपज्जवणाणं ? [मणपज्जवणाणं दुविहं पण्णतं तंजहाउजुमइ य विउलमइ य ।] मणपज्जवणाणे [णं भंते !] किं मणुस्साणं उपज्जइ, अमणुस्साणं? [गोयमा ] मणुस्साणं, णो अमणुस्साणं । શબ્દાર્થ -મળપુરાવળને મન:પર્યવજ્ઞાન, ઈ = વાક્યાલંકાર માટે છે, વિંજ = શું, મધુરક્ષામાં = મનુષ્યોને, ૩પન = ઉત્પન્ન થાય છે કે, અણુસા = અમનુષ્યોને, મનુષ્ય સિવાયના જીવોને. ભાવાર્થ :- પ્રશ્ન- મન:પર્યવજ્ઞાનના કેટલા પ્રકાર છે? શું મન:પર્યવજ્ઞાન મનુષ્યને ઉત્પન્ન થાય? કે અમનુષ્યોને દેવને, નારકીને કે તિર્યંચને) ઉત્પન્ન થાય? ઉત્તર– મન:પર્યવજ્ઞાન મનુષ્યોને જ ઉત્પન્ન થાય છે, અમનુષ્યને નહીં અર્થાત્ દેવ, નારકી અને તિર્યંચને ઉત્પન્ન ન થાય. વિવેચન : સૂત્રકારે અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાનના અધિકારી કોણ થઈ શકે તેનું વિવેચન પ્રશ્ન અને ઉત્તર દ્વારા બતાવ્યું છે. અહીં પ્રશ્ન એ થાય છે કે જિન નહીં પણ જિન સમાન ગણધરોમાં મુખ્ય એવા ગૌતમસ્વામીને આ શંકા શા માટે ઉત્પન્ન થઈ હશે? ઉત્તર- શંકા અનેક કારણોથી ઉત્પન્ન થાય છે. જેમ કે જિજ્ઞાસુ શિષ્યોની શંકાનું સમાધાન કરવા માટે, વિવાદ કરવા માટે, જ્ઞાનીજનોની પરીક્ષા કરવા માટે અથવા પોતાની વિદ્વત્તા સિદ્ધ કરવા માટે પરંતુ ગૌતમસ્વામી માટે ઉપર બતાવેલા કોઈ પણ કારણો સંભવી શકે એમ નથી. તેઓ ચાર જ્ઞાનના ધારક, નિરભિમાની અને વિનીત હતા એટલે પ્રશ્ન પૂછવાનું કારણ નીચે મુજબ હોવું જોઈએ. પોતાનો અવગત વિષય સ્પષ્ટ કરવા માટે, અન્ય લોકોની શંકાનું નિરાકરણ કરવા માટે, ઉપસ્થિત શિષ્યોને નવું જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે, જેના મસ્તિકમાં જ્ઞાનની સૂઝબૂઝ ન હોય તેને પણ અનાયાસ જ્ઞાનગુણની પ્રાપ્તિ થાય તેમજ જ્ઞાન પ્રત્યે અભિરુચિ થાય, વિશિષ્ટ પ્રકારે સંયમની સાધના અને તપમાં
SR No.008781
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPrankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages380
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy