SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ [૭૦] શ્રી નદી સૂત્ર ક્ષેત્ર, કાળ અને ભાવરૂપે ઘણા ભેદ પ્રભેદથી વર્ણન કરાયેલ છે. નારક, દેવ અને તીર્થકર અવધિજ્ઞાનથી અબાહ્ય હોય છે એટલે અવધિજ્ઞાનના વિષયક્ષેત્રની વચ્ચમાં જ રહે છે અને તેઓ સર્વ દિશા અને વિદિશાઓમાં દેખે છે. શેષ અર્થાતુ મનુષ્ય અને તિર્યંચ દેશથી એટલે કે એક દિશામાં પણ દેખે છે અને અનેક દિશામાં પણ દેખે છે. આ રીતે પ્રત્યક્ષ અવધિજ્ઞાનનું વર્ણન છે. વિવેચન : નરયિક, દેવ અને તીર્થકરને નિશ્ચયથી અવધિજ્ઞાન હોય છે. એ ત્રણેયનું અવધિજ્ઞાન સર્વ દિશા અને વિદિશાઓ વિષયક હોય છે. શેષ મનુષ્ય અને તિર્યંચને અવધિજ્ઞાન થાય તો એક દિશા વિષયક અથવા અનેક દિશાનું પણ અવધિજ્ઞાન હોય છે. તાત્પર્ય એ છે કે નૈરયિક આદિ ત્રણેયને મધ્યગત અવધિજ્ઞાન હોય છે અને તે નિયમા(નિશ્ચિત રૂપથી) છ દિશાઓમાં જોઈ શકે છે. તિર્યંચ એક, બે ત્રણ દિશામાં જોઈ શકે છે અને મનુષ્ય અવધિજ્ઞાનથી એક, બે કે ત્રણ વાવત છએ ય દિશાઓમાં જોઈ શકે છે. અવધિજ્ઞાન ભવપ્રત્યયિક ક્ષાયોપથમિક (દેવ–નારકોને હોય) (કર્મભૂમિજ સંજ્ઞી મનુષ્યને–સંજ્ઞી તિર્યંચને હોય) અવધિજ્ઞાન અનુગામિક અનાનુગામિક વર્ધમાન હીયમાન પ્રતિપાતિ અપ્રતિપાતિ અંતગત મધ્યગત પુરતઃ માર્ગતઃ પાર્શ્વતઃ છે અવધિજ્ઞાન સંપૂર્ણ
SR No.008781
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPrankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages380
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy