SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ શ્રી વિપાક સૂત્ર આઠમું અધ્યયના ભદ્રનંદી | १ अट्ठमस्स उक्खेवो । ભાવાર્થ ઃ આઠમાં અધ્યયનનો પ્રારંભ પ્રથમ અધ્યયનની જેમ જાણવો જોઈએ. | २ सुघोसं णयरं । देवरमणं उज्जाणं । वीरसेणो जक्खो । अज्जुणो राया । तत्तवई देवी । भद्दणंदी कुमारे । सिरिदेवी पामोक्खाणं पंचसयाणं रायवरकण्णगाणं पाणिग्गहणं । तित्थयरागमणं । पुव्वभव पुच्छा । महाघोसे णयरे । धम्मघोसे गाहावई। धम्मसीहे अणगारे पडिलाभिए जाव सिद्धे। णिक्खेवो जहा पढमस्स । II કયાં સમજું I. ભાવાર્થ: હે જંબૂ! સુઘોષ નામનું નગર હતું. ત્યાં દેવરમણ નામનું ઉદ્યાન હતું. તેમાં વીરસેન નામના યક્ષનું યક્ષાયતન હતું. સુઘોષનગરમાં અર્જુન નામના રાજા રાજ્ય કરતા હતા. તેને તત્ત્વવતી (તપ્તવતી) નામની રાણી અને ભદ્રનંદી નામનો રાજકુમાર હતો. શ્રીદેવી વગેરે ૫00 શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે તેના લગ્ન થયા. એકદા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. ત્યારે ભદ્રનંદીએ ભગવાનની દેશનાથી પ્રભાવિત થઈને શ્રાવકધર્મ સ્વીકાર્યો. શ્રી ગૌતમસ્વામીએ તેના પૂર્વભવ સંબંધી પ્રશ્ન પૂછ્યો તેના ઉત્તરમાં ભગવાને કહ્યું કે હે ગૌતમ ! મહાઘોષ નામનું નગર હતું. ત્યાં ધર્મઘોષ નામના ગાથાપતિ રહેતા હતા. તેણે ધર્મસિંહ નામના અણગારને શુદ્ધ આહારથી પ્રતિલાભિત કર્યા અને મનુષ્ય આયુષ્યનો બંધ કરીને તે અહીં ઉત્પન્ન થયાં યાવત તે મોક્ષગતિને પામ્યા. નિક્ષેપ :- અધ્યયનનો ઉપસંહાર પ્રથમ અધ્યયનની જેમ જાણવો જોઈએ. વિવેચન : સુબાહુકુમાર અને ભદ્રનંદીના જીવનમાં એટલું જ અંતર છે કે સુબાહુકુમાર દેવલોક આદિ અનેક ભવ કરીને મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે. જ્યારે ભદ્રનંદી તે જ ભવમાં મોક્ષે ગયા. II અધ્યયન-૮ સંપૂર્ણ ..
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy