SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ | શસ્ત્ર પરિણા અધ્ય-૧, ઉ: ૩. [ ૧૮ ] ભાવાર્થ :- પ્રભુની આજ્ઞાથી લોકને અર્થાત્ અખાયના સ્વરૂપને જાણીને, હૃદયમાં ધારણ કરીને તે જીવોને ભય મુક્ત બનાવે છે. તાત્પર્ય એ છે કે કોઈ પણ પ્રકારે તેને ભય-પીડા પહોંચાડે નહીં, તેના પ્રત્યે સંયમી રહે. આ વિષયમાં વિશેષ કહું છું કે મુનિ અષ્કાયિક જીવોનાં અસ્તિત્વનો નિષેધ કરે નહિ, પોતાના આત્માનો પણ નિષેધ કરે નહિ. જે લોકનો–અપ્લાયના અસ્તિત્વનો નિષેધ કરે છે તે પોતાના આત્માના અસ્તિત્વનો પણ નિષેધ કરે છે. જે પોતાનો અપલાપ કરે છે તે લોક–અપ્લાયનો પણ અપલાપ કરે છે. વિવેચન : પ્રસંગાનુસાર લોકનો અર્થ અહીં અખાય છે. પૂર્વના ઉદ્દેશકમાં પૃથ્વીકાયનું વર્ણન છે. આ ઉદ્દેશકમાં અપ્લાયનું વર્ણન છે. અadોમર્થ - ટીકાકારે આ શબ્દના બે અર્થ કર્યા છે– (૧) જે સાધના કે ક્રિયાથી કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારનો ભય રહે નહિ, તે સંયમ સાધનાને અકુતોભય કહેવાય છે. (૨) જે કોઈનાથી પણ ભય ન ઈચ્છે તે અપ્લાય જીવ અકુતોભય છે. આ બે અર્થોમાં સંયમ અર્થ વાંછિત છે. તે નિઃ- અને એ પણ કહું છું કે- જે અપ્લાયિક જીવોની સત્તાનો સ્વીકાર કરતા નથી તે વાસ્તવમાં પોતાના અસ્તિત્વનો પણ સ્વીકાર કરતા નથી. જે રીતે પોતાનું અસ્તિત્વ સ્વીકૃત છે, અનુભવગમ્ય છે, તે જ રીતે અન્ય જીવોના અસ્તિત્વનો પણ સ્વીકાર કરવો જોઈએ. સમાજના(ગ્યાથાન) :- આ શબ્દ વિશેષભાવ યુક્ત છે. કોઈના અસ્તિત્વનો નિષેધ કરવો તે અભ્યાખ્યાન છે, અપલાપ છે. સત્યને અસત્ય અને અસત્યને સત્ય, જીવને અજીવ અને અજીવને જીવ કહે તે અસત્ય આરોપણ સમાન છે. આગમોમાં અભ્યાખ્યાનના અર્થો આ પ્રમાણે છે– (૧) દોષાવિષ્કરણ- દોષ પ્રગટ કરવા(ભગવતી શતક ૫ ૧.૬) (૨) અસ દોષનું આરોપણ કરવું–(પ્રજ્ઞાપના પદ ૨૨ અને પ્રશ્ન.૨) (૩) બીજાની સામે નિંદા કરવી-(પ્રશ્ન.૨) (૪) અસત્ય અભિયોગ કરવો-(આચારાંગ ૧-૩). અપ્લાયની હિંસા સંબંધી પરિજ્ઞા :| ४ लज्जमाणा पुढो पास । 'अणगारा मो' त्ति एगे पवयमाणा, जमिणं विरूवरूवेहिं सत्थेहिं उदयकम्मसमारंभेणं उदयसत्थं समारंभमाणे अण्णे वि अणेगरूवे पाणे विहिंसइ । तत्थ खलु भगवया परिण्णा पवेइया- इमस्स चेव जीवियस्स, परिवंदण माणण पूयणाए, जाई मरण मोयणाए, दुक्खपडिघायहेडं, से Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy