SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ છોડીને દૂર કરીને, વિસરિય = શંકાને, બાધાઓને, વીરા - વીર પુરુષ, મહાવહિં = મહાવીથી અર્થાત્ સંયમરૂપ રાજમાર્ગને, પાયા = પ્રાપ્ત કરે છે, સમર્પિત થાય છે. ભાવાર્થ :- મુનિ, જે શ્રદ્ધા-નિષ્ઠાથી(વૈરાગ્યથી) ગૃહત્યાગ કરી સંયમમાં ડગ ભરે છે, તે જ શ્રદ્ધાપૂર્વક સંયમનું અનુપાલન કરે. શ્રદ્ધા સાથે શંકાથી રહિત બની, બાધાઓને દૂર કરતાં જીવનપર્યત સંયમનું પાલન કરે. પરીષહ, ઉપસર્ગ અને કષાયાદિ ઉપર વિજય પ્રાપ્ત કરનાર ધીર–વીર પુરુષો દ્વારા આ સંયમ માર્ગ આસેવિત છે અર્થાત્ વીરપુરુષ આ મહાપથમાં સમર્પિત થાય છે. વિવેચન : આ સૂત્રમાં સાધકને દીક્ષા સમયનો ઉત્સાહ યાદ કરાવી જાગૃત રહેવાની સૂચના કરી છે. વિત્તિયં - વિસોતસિકા- સંયમમાં આવનારી મુશ્કેલીઓ; સાધકના મનને ચંચળ કરનારી દ્રવ્ય અને ભાવથી અનેક વિટંબણાઓ આવે તો તેને દૂર કરવાની પ્રેરણા આપીને શાસ્ત્રકારે સંયમભાવોમાં પૂર્ણ સ્થિર તેમજ સુદઢ રહેવાનો નિર્દેશ કર્યો છે. અહીં મૂળપાઠમાં અનુપાતિયા, અનુપાતિજ્ઞા, ગળુપાક્કા તથા વિદત્ત, વિત્તિ , વિજ્ઞપિત્તા આવા વૈકલ્પિક પાઠો પણ મળે છે. તે સમાનાર્થક છે. અહિંસા અને સંયમનો પ્રશસ્ત માર્ગ મહાપથ છે. અહિંસા, સંયમની સાધનામાં દેશ, કાળ, સંપ્રદાય કે જાતિની કોઈ મર્યાદા કે બંધન હોતું નથી, તે સર્વને માટે સર્વત્ર સમાન હોય છે. સંયમ શાંતિના આરાધક સર્વ જીવો આ માર્ગ પર ચાલ્યા છે, ચાલે છે અને ચાલશે. છતાં તે માર્ગ ક્યારે ય સંકીર્ણ થતો નથી, તેથી જ તે મહાપથ છે. અણગાર તેના પ્રતિ સંપૂર્ણ સમર્પિત રહે છે. અકાયિક જીવોની સજીવતા :| ३ लोगं च आणाए अभिसमेच्चा अकुतोभयं । से बेमि- णेव सयं लोगं अब्भाइक्खेज्जा, णेव अत्ताणं अब्भाइक्खेज्जा । जे लोगं अब्भाइक्खइ, से अत्ताणं अब्भाइक्खइ; जे अत्ताण अब्भाइक्खइ, से लोग अब्भाइक्खइ । શબ્દાર્થ :- નોન = અપ્લાયરૂપ લોકને, = અને, આMTS = તીર્થકરના ઉપદેશાનુસાર, મેન્થ =જાણીને, સમજીને, આશુતોમર્થ = સર્વ ભયોથી રહિત એવા સંયમનું પાલન કરે. તે વેકિ = હું કહું છું, સર્વ = સ્વયં, નોm = અષ્કાયના જીવોના અસ્તિત્વને, નેવ અમાફwા = અપલાપ કરે નહિ, અસ્વીકાર કરે નહીં, તે = જે પુરુષ, અમારુ = અપલાપ કરે છે, તે = તે, સત્તાન = આત્માનો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy