SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦] શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ सयमेव उदयसत्थं समारंभइ, अण्णेहिं वा उदयसत्थं समारंभावेइ, अण्णे वा उदयसत्थं समारंभते समणुजाणइ । तं से अहियाए तं से अबोहीए । से तं संबुज्झमाणे आयाणीयं समुट्ठाए । सोच्चा खलु भगवओ, अणगाराणं वा अंतिए, इहमेगेसिं णायं भवइ- एस खलु गथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु णरए । इच्चत्थं गढिए लोए । जमिणं विरूवरूवे हिं सत्थे हिं उदयकम्मसमारंभेणं उदयसत्थं समारंभमाणे अण्णे वि अणेगरूवे पाणे વિહંસ | ભાવાર્થ :- સાચો સાધક અપ્લાયની હિંસા કરવામાં શરમ અનુભવે છે, તેને ભિન્ન જાણો અને બીજા સાધકને પણ ભિન્ન જાણો. જે પોતાને અણગાર માનતાં, કહેતાં પણ અપ્લાયિક જીવોનો અનેક પ્રકારના શસ્ત્રોથી આરંભ, સમારંભ કરતાં તે જીવોની હિંસા કરે છે, પાણીના શસ્ત્રનો સમારંભ કરતાં પાણીની હિંસાની સાથે તેના આશ્રયે રહેલા અન્ય અનેક જીવોની પણ હિંસા કરે છે. (તે) તું જો. આ વિષયમાં ભગવાને પરિશા-વિવેકનું નિરૂપણ કર્યું છે. કોઈ વ્યક્તિ (૧) પોતાના આ જીવન માટે (૨) પ્રશંસા, સન્માન, પૂજા માટે (૩) જન્મમરણથી મુક્ત થવા માટે (૪) દુઃખને દૂર કરવા માટે અપ્લાયની હિંસા કરે છે, બીજા પાસે અપ્લાયની હિંસા કરાવે છે અને અપ્લાયની હિંસા કરનારાની અનુમોદના કરે છે. જે હિંસા કરે છે, તે તેના અહિતનું કારણ તેમજ અબોધિનું કારણ થાય છે. સાધક આ સમજીને સંયમસાધનામાં તત્પર બની જાય છે. ભગવાન પાસેથી કે અણગાર મુનિઓ પાસેથી સાંભળીને કોઈ વ્યક્તિને એ સમજાય જાય છે કે આ અપ્લાય જીવોની હિંસા ગ્રંથી છે, મોહ છે, સાક્ષાત્ મૃત્યુ છે, નરક છે, છતાં જે માનવી જીવન, પ્રશંસા, કીર્તિ આદિમાં આસક્ત છે, તે વિવિધ પ્રકારના શસ્ત્રોથી અપ્લાયની હિંસા કરે છે અને સાથે તેના આશ્રિત અન્ય પ્રકારના જીવોની પણ હિંસા કરે છે. પાણીની સજીવતા અને હિંસાનું સૂક્ષ્મજ્ઞાન :| ५ से बेमि- संति पाणा उदयणिस्सिया जीवा अणेगे । इहं च खलु भो अणगाराण उदय जीवा वियाहिया । सत्थं चेत्थ अणुवीइ पास । पुढो सत्थं पवेइयं । अदुवा अदिण्णादाणं । શબ્દાર્થ :- ૩૬ = અખાયના આશ્રયે રહેનારા, અને (T) = અનેક, પUT = પ્રાણી તેમજ, નવા = જીવ, સતિ = છે, € = આ જૈનશાસ્ત્રમાં, મો = હે શિષ્ય! મા IIIM = સાધુઓ માટે, ૩૬થવા = જલરૂપ જીવ, વિવાદિયા = કહ્યા છે, પત્થ = આ અપ્લાયના વિષયમાં, ગપુવફ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy