SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એટલે સાંજે પણ મળવાની શકયતા નહોતી. આથી મહેશ ચાલીને જવાનો વિચાર કરતો હતો, પણ એના મિત્ર વિજયે કહ્યું કે ઘણે દૂર ગયા પછી તને બસ મળશે, એને બદલે મારી મોટર સાઇકલ પર આવી જા. મહેશની ઓફિસેથી એનું ઘર ૧૪ કિલોમીટર દૂર હતું. ૧૩ કિલોમીટર જેટલું અંતર પસાર થયું. એક કિલોમીટરનું અંતર બાકી હશે, ત્યાં એક ટ્રક આવી અને ટ્રકે ઓવરટેક કરવા જતાં મોટરસાઇકલ પાડી દીધી. મહેશ બેભાન બનીને રસ્તા પર ઢળી પડયો. એના માથામાંથી પુષ્કળ લોહી વહેતું હતું. વિજય સહેગલનું ખભાનું હાડકું તૂટી ગયું, પણ એ સદ્ભાગ્યે ભાનમાં હતો. એણે પોતાના ખમીશ અને રૂમાલથી મહેશના માથામાંથી નીકળતું લોહી રોક્યું. કોઇએ એને હોસ્પિટલમાં પહોંચાડયો. ધીરેધીરે એ ભાનમાં આવ્યો. પણ હજી ભયમુકત થયો નહોતો. એને વિશિષ્ટ સારવાર મળે તે માટે અકસ્માતથી થયેલી ઈજાની સારવારના નિષ્ણાત (એકસીડન્ટ સ્પેશ્યાલીસ્ટ) ડૉકટરને બોલાવવામાં આવ્યા, બસો કેસમાંથી અડધો ટકો પણ ન બચે એવી ગંભીર ઇજા મહેશને થઇ હતી. ભાનમાં આવેલા મહેશને દૃઢ શ્રધ્ધા હતી કે એને કશું નહિ થાય. એના ગળામાં પૂ. કૈલાસસાગરજીની મુદ્રાવાળું તાવીજ પડયું હતું. બે-ત્રણ દિવસ બાદ મહેશને રજા મળી, પણ એને માનસિક શ્રમ લેવાની ડોકટરે ના પાડી હતી. વીસ-એકવીસ દિવસ પછી એ ઓફિસમાં પોતાની નોકરી પર આવ્યો. મહેશ જયારે ભાનમાં આવ્યો ત્યારે એ તદૈન નિર્ભય હતો. એણે કહ્યું કે એના પર તો ગુરુ મહારાજના આશીર્વાદ છે. આજે પણ એ મહેશ નોકરી કરવા જાય તે અગાઉ પાંચેક મિનિટ આચાર્યશ્રીની છબી સમક્ષ ઊભો રહે છે. મનોમન આશીર્વાદની પ્રાર્થના કરે છે અને પછી જ નોકરી કરવા જાય છે. જ આચાર્યશ્રીની પ્રતિભાના સ્પર્શે અનેક વ્યક્તિઓના જીવનમાં ધાર્મિકતા અને સાત્ત્વિકતાએ પ્રવેશ કર્યો છે. એ બધામાંથી એક દૃષ્ટાંતરૂપ સુમતિભાઇ હરડેની વાત જોઇએ. વિ. સ. ૨૦૧૭માં પૂ. કૈલાસસાગરજી સમેતશિખરની પ્રતિષ્ઠા કરાવીને મુંબઇ આવ્યા, ત્યારે સુમતિભાઇને પહેલીવાર એમનો પરિચય થયો. વિ. સં. ૨૦૧૭નો પૂ. કૈલાસસાગરજીનો ચાતુર્માસ માટુંગામાં હતો. સુમિતભાઇ કાપડનો વેપાર કરે. તમાકુના પાનની ભારે આદત. રાતના બાર વાગે પણ પાન વિના ન ચાલે. એકવાર પૂ. કૈલાસસાગરજી મહારાજનું વ્યાખ્યાન સાંભળવા ગયા. ત્યાં તેમની સાદી, સરળ અને હૃદયસોસરી ઊતરી જાય તેવી વાણી સુમતિભાઇના હૃદયને સ્પર્શી ગઇ. વ્યાખ્યાનમાં ભારેખમ અલંકારો નહિ. અઘરી વાતો નહિ. ૧૨૩ For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy