SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૨) દર્શન સદાએ ચરણનું, કરવાનું મુજને નેમ છે; માટે પ્રભુ હું એાળખું, નપુર મને જ્યાં પ્રેમ છે* દર સ્વાધીન બધી છે વૃત્તિઓ, અંતર વિષે રોધી શકું દુર્ઘટ ઘડે છે ઘાટ પણ, મનને જરૂર ગાંધી શકું ઇન્દ્રિય તણા સહુ બૃહ પર છે, વિજય મહારે સર્વદા; તે તેથીને વ્યાયામથી, હારે વિજય જગમાં સદા. ૭ એ કારણે ગ્રેજ્યમાં, યે દુભિ ગગડાવું હું ને યુદ્ધમાં અરિ સૈન્યને, સહજે કરી રગડાવું હું, આ વિશ્વની મુજને કશી, દુર્લભ હવે વાત નથી; ને આપ પણ દિલ માંહીથી, ઘડિ એક ઘર થાતા નથી. ૮ * ફુટવ્યાખ્યા-જ્યારે લક્ષ્મણને પ્રભુએલ્યાકેeભાઈ ? આ આભૂષણ સીતાનાં છે કે, નહી તેને તું ઓળખ? હારી વિહવળ દશા હોવાથી હું હાલે બરાબર ઓળખી શકતા નથી. ત્યારે લક્ષ્મણ બેલ્યા કે, હે પ્રભુ ? સીતાના અલંકારોને હું ઓળખતે નથી, કારણ જ્યારથી આપનું લગ્ન થયું છે ત્યારથી તે-અત્યાર સુધી મહે સીતા દેવીનું મુખ અગર શરીર અવલોકયું નથી. માત્ર મહિને સીતાજીના ચરણનાં દાન કરવાને પ્રાતઃકાળે નિયમ છે. અત: પગમાં પહેરાતા એક ઝાંઝરને ઓળખી શકું છું. જ્યારે પિતાના મેટા બ્રાતનાં પત્ની માતા સમાન ગણી શકાય, તેમના પ્રતિ બ્રહ્મચર્ય અને ઈન્દ્રિય નિગ્રહના પ્રભાવે લક્ષ્મણ જોતા ન હતા ત્યારે જગતની અન્ય નારીયા પ્રતિ તેમની નજર જાયજ કેમ ? આવા ઈન્દ્રિય નિગ્રહવાન પુરૂષો વ્યાયામ કરે તે મહા દીવ્ય બળ ધારક થઈ–કીર્તિ અને પુન્યત્વને પ્રાપ્ત થઈ શકે. તાર્યું કે, વ્યાયામ કરનાર પુરૂષનોગ્ય પ્રહ્મચર્ય અને ઇન્દ્રિયનિગ્રહની ખાસ જરૂર છે. For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy