SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સતતેત્સાહના શુભ ફળ. ( ૫૭૯ ). સુધારાવધારા કરી શકાય છે અને પાતંત્ર્યને દૂર કરી સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરી શકાય છે. લઘુ બાળકમાં અમુકશોએ બે ગુણ અવલેકાય છે પણ પશ્ચાતું તેની સામગ્રી વિના તેઓમાં મન્દતા આવી જાય છે. મુસલમાનમાં મુસલ્માન ધર્મની વૃદ્ધયર્થે સતતત્સાહ અને સતત પ્રયત્ન હતું ત્યાં સુધી તેઓ સ્વધર્મનો પ્રચાર કરી શક્યા; પશ્ચાત્ તેઓનામાં મન્દતા આવી તેથી પૂર્વની પેઠે ધર્મવૃદ્ધિ કરી શક્યા નહિ. સતતેત્સાહ અને સતત પ્રયત્ન વિના ગમે તેવા બળવાન મનુષ્ય પણ કાર્યની સિદ્ધિમાં હાર પામે છે. સતતેત્સાહથી મુકિતની પ્રાપ્તિ કરી શકાય છે અને શ્રી મહાવીર પ્રભુની પેઠે લાખે પરિષહો સહીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી સર્વ શક્તિ ખીલવી શકાય છે. સતતત્સાહ પ્રયત્ન વિના લાંબાલચક જાહેર ભાષણ આપ્યાથી કંઈ વળતું નથી. દીર્ઘ વિચારસૂત્રી થવાથી કંઈ વળતું નથી. અતએ મનુષ્યએ સતતત્સાહપ્રયત્નપૂર્વક પ્રારંભિત કાર્યો કરવા જોઈએ. આર્યાવર્તના પ્રાચીન મનુષ્યમાં સતતેત્સાહ પ્રયત્ન હતું તેથી તેઓ સર્વ દેશના નેતાઓ બનીને વિગ્ના કલ્યાણમાં અપૂર્વ ભાગ આપી શકતા હતા. હાલના આર્યોમાં સતતોત્સાહ પ્રયત્ન પ્રકટે અને તેથી તેઓ પૂર્વની ઝોઝલાલીને પ્રાપ્ત કરે ! શુભ કાર્યોમાં સતતેત્સાહ પ્રયત્નબળ વાપરવાની જરૂર છે. રજોગુણ અને તમોગુણી કાર્યોને પરિહાર કરીને સાત્વિક મનુષ્યો સાત્વિક કાર્યોની સિદ્ધિમાં સતતેત્સાહપૂર્વક પ્રયત્ન કરે છે. સતતેત્સાહ પ્રયત્નથી સર્વત્ર કાર્યસિદ્ધિ થાય છે. એવં અવગત કરીને પ્રારંભિત કાર્યમાં સ્વભાવે પ્રવૃત્તિ કર ! કાર્યની સિદ્ધિ થવાની છે કે કેમ? તે સતતત્સાહ પ્રયત્નથી અવબોધાય છે. અત એવ અન્ય વિકલ્પસંકલ્પનો ત્યાગ કરીને પ્રારંભિત કાર્યમાં સદ્ય પ્રવૃત્ત થવું જોઈએ. પ્રારંભિત કાર્યમાં વિદ્ગો આવ્યા વિના રહેતાં નથી, તેથી તેમાં સતતત્સાહની આવશ્યક્તા રહે છે. સતતત્સાહપૂર્વક કાર્ય કરવાથી અંતે વિજય વરમાળને પ્રાપ્ત કરી શકાય છે. ૧૮૫૭ ના બળવામાં બ્રિટીશએ હિન્દુસ્થાનમાં સતતેત્સાહ પ્રયત્નથી બળવાખોરોને વિખેરી નાખ્યા. જે તેઓનામાં સતતેત્સાહ મન્દ પડી ગયું હોત તે બ્રિટીશ રાજ્યની એક દિવસના અંતરામાં જડ ઉખડી જાત. પાશ્ચાત્ય વિદ્વાનોનો-શેકેનો મૂળ મંત્ર એ છે કે પ્રારંભિત કાર્યમાં સતતેત્સાહ પ્રયત્નથી પ્રવર્યા કરવું. સતતેત્સાહ પ્રયત્નથી બ્રિટીશએ સર્વત્ર પૃથ્વીમાં અદ્યપર્યત રાજ્યવ્યવસ્થાકાર્યમાં અનેક સિદ્ધિ મેળવી છે તે તેનાથી અજ્ઞાત છે ? પ્રતિજ્ઞાત કર્તવ્ય કાર્યોમાં સતતત્સાહ પ્રયત્નની જરૂર છે. સતતેત્સાહ વિના કોઈપણ પ્રતિજ્ઞારૂપ કાર્યની સિદ્ધિ થતી નથી. સતતોત્સાહ વિના અનેક મનુષ્યએ પાણીમાં પરપોટા થઈને ક્ષણમાં જેમ વિલય પામે છેતદ્વત્ પ્રારંભિત કાર્યોને ક્ષણમાં મૂકી દીધાં છે, તેનાં સહસ્ત્રલક્ષ દષ્ટાંતે વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે. ગુજરાતમાં ભેળા ભીમ પશ્ચાત જે જે નૃપતિ થયા તેમાં રાજ્યરક્ષણ પ્રગતિકાર્યને સતતત્સાહયુક્ત પ્રયત્ન નહોતું તેથી તેઓ ગુર્જર ભૂમિનું સામ્રાજ્ય સંરક્ષી શકવા સમર્થ થયા નહીં. ગુર્જરત્રાભૂમિમાં સતતત્સાહપૂર્વક પ્રયત્ન કરનાર મહમ્મદ બેગડાએ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy